આજે નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિર ખાતે પહોંચી ગયા છે જ્યાં હવે સેમિકોન ઈન્ડિયા 2023નું ઉદઘાટન કર્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અહીં ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં રહેલી રોકાણની તકો અંગેનું પ્રેઝેન્ટેશન પણ કરવામાં આવનાર છે.
ગાંધીનગર ખાતે આ ત્રી દિવસીય કાર્યક્રમમાં સેમિકન્ડક્ટર ચિપ, ડિસ્પ્લે ફેબ, ચિપ ડિઝાઇન, એસેમ્બલિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞો દ્વારા પેનલ ડિસ્ક્શન પણ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં ફૉક્સકૉન, માઇક્રૉન, એએમડી, આઇબીએમ, માર્વેલ, વેદાન્તા, એલએએમ રિસર્ચ, એનએક્સપી સેમિકન્ડક્ટર્સ, એસટી માઇક્રૉઇલેક્ટ્રૉનિક્સ, ગ્રાન્ટવૂડ ટેક્નૉલોજીસ, ઇન્ફિનિયૉન ટેક્નૉલોજીસ, અપ્લાઇડ મટિરિયલ્સ અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલી અન્ય જાણીતી કંપનીઓ ભાગ લેનાર છે.
મહત્વનું છે કે ગઈકાલે રાજકોટમાં હિરાસર એરપોર્ટનું PM મોદીએ લોકાર્પણ કર્યુ હતું ત્યારબાદ રેસકોર્સ મેદાનમાં જાહેરસભા સંબોધી હતી બાદમાં કેકેવી ચોક પર ફ્લાયઓવર બ્રિજ સહિત 2033 કરોડનાં કામોનું લોકાર્પણ કર્યું હતું.
PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. PM મોદી મહાત્મા મંદિર ખાતે ત્રણ બેઠક કરશે. અહીં લોકોને સાંભળ્યા બાદ એક્ઝિબિશન સેન્ટરની મુલાકાત પણ લેવામાં આવે તેવી શક્યતા રહેલી છે. વધુમાં બપોરનું ભોજન ગાંધીનગરના સર્કિટ હાઉસમાં લેશે.