–GCERT પૂર્વ નિયામક નલિનભાઈ પંડિત સતત એકલા હાથે આજના શિક્ષણ મુદ્દે સવાલો ઉઠાવતા રહયા છે અને ભાવિ પેઢી ની ચિંતા કરતા રહયા છે ત્યારે તેઓના અભિયાનમાં જોડાવું સૌની ફરજ છે
રાજ્યમાં ખાનગીકરણની આંધળી દોટમાં શિક્ષણ સામે સવાલો ઉઠ્યા છે અને સરકારની બેદરકારીને લીધે ગ્રાન્ટેડ શાળાઓનો મૃત્યઘંટ વાગવા લાગ્યો છે આ માટે સૌએ ચિંતન કરવું પડશે.
GCERT પૂર્વ નિયામક નલિનભાઈ પંડિત સતત એકલા હાથે આજના શિક્ષણ મુદ્દે સવાલો ઉઠાવતા રહયા છે અને ભાવિ પેઢી ની ચિંતા કરતા રહયા છે કે આજની પેઢી નું બાળક આવતી કાલ નો દેશ નો નાગરિક છે તેઓ માં પાયા ના શિક્ષણ ની તાતી જરૂર છે અને સમયસર સરકાર તે તરફ ધ્યાન નહિ આપે તો ભવિષ્યમાં તેની વિપરિત અસરો ઉભી થશે તેવું ભાર પૂર્વક જણાવી રહયા છે પરંતુ જે રીતે ખાનગી કરણની હવા ફૂંકાઈ છે તે વાવાઝોડા સામે સૌ એ એકતા અને સમજદારી દાખવવી પડશે અન્યથા મોડું થઈ જશે.
શિક્ષણના થઇ રહેલા ખાનગીકરણને પગલે માત્ર વડોદરા શહેરની વાત કરવામાં આવેતો અહીં ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટી રહી હોય શિક્ષકોએ પોતાની નોકરી બચાવવા માટે વિદ્યાર્થીઓને શોધીને લાવવા પડી રહ્યા છે એટલુંજ નહિ પણ મહિને 60 રૂપિયા જેવી નજીવી ફી હોવા છતાં પણ વિદ્યાર્થીઓ આવતા ન હોવાથી ફી સહિતના ખર્ચ પણ શિક્ષકો જાતેજ ઉઠાવી રહ્યા હોવાની વાસ્તવિકતા સામે આવી છે.
વડોદરા શહેરમાં 92 જેટલી ગ્રાન્ટેડ શાળા છે, જેમાં ધોરણ 9 થી 12ના વર્ગો ચલાવવા માટે 50 ટકા જેટલી શાળાઓ બંધ થવાના આરે છે.
બીજું કે ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો ફાજલ ન પડે તે માટે તેઓ જાતે જ પોતાની શાળામાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે ઘરે ઘરે જઇ વાલીઓને સમજાવીને વિદ્યાર્થીઓની ફી ભરવા ઉપરાંતનો ખર્ચ ઉઠાવી રહ્યા છે.
એક ઉદાહરણમાં અહીંના ગાજરાવાડીની સ્વામી વિદ્યાનંદજી વિદ્યામંદિર શાળામાં ધોરણ 9ના 4 વર્ગ છે. જેમાં વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા ન હોવાથી શિક્ષકોએ વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ લાવવા શિક્ષકોઈ મહેનત કરી હતી.
શાળાના 16 શિક્ષકોની 2 ટીમ બનાવી વેકેશનમાં ધો. 8 પૂરું કરી ચૂકેલા વિદ્યાર્થીઓના ઘરે જઇ તેમના વાલીઓને સમજાવી
75 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો છે.
અહીં ધો.9ના 4 ક્લાસ છે. 1 ક્લાસમાં 60 વિદ્યાર્થી હોય છે અને 100 વિદ્યાર્થીઓની જરૂર હતી, જેમાં 75 વિદ્યાર્થી મળ્યા છે. તમામની વાર્ષિક ફી રૂા.60 હજાર જેટલી થાય તે હવે શિક્ષકો ભરશે.
ગતવર્ષે 40 હજાર ફી ભરીને વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું હતું.
વડોદરામાં 115 ગ્રાન્ટેડ શાળા હતી, જે 5 વર્ષમાં ઘટી 92 થઈ ગઈ તે વાસ્તવિકતા છે.
વડોદરામાં 27 વિજ્ઞાન પ્રવાહની ગ્રાન્ટેડ શાળાઓ હાલમાં કાર્યરત છે
ધો. 8 સુધી સરકારી શાળા છે. ત્યારબાદ વિદ્યાર્થી ધો. 9માં પ્રવેશ મેળવે તે માટે તેમના ઘરે જઇ વાલીઓને સમજાવાય છે.
ફી, યુનિફોર્મ, અને કેટલાક કિસ્સાઓમાં તો વાનનું ભાડું પણ ચૂકવવા સુધીની તૈયારી કરવામાં આવે છે.
હાલમાં 92 શાળામાં 25 વર્ગ બંધ થવાની શક્યતા વ્યક્ત કરાઇ રહી છે. જે હકીકત સામે આવી છે તેમાં ખાસ કરીને ગુજરાતીનો ક્રેઝ ઘટતાં વિદ્યાર્થી પ્રવેશ નથી લઈ રહ્યા.
વડોદરામાં અનેક શાળાઓ વિદ્યાર્થી સંખ્યા વધે તે માટે સતત સંઘર્ષ કરતી હોવાનું ધ્યાને આવ્યું છે.
શહેર-જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓમાં છેલ્લાં બે વર્ષમાં19 વર્ગો બંધ થઈ ચૂક્યા છે અને વધુ વર્ગો બંધ થવાની શકયતા છે.
આમ,સરકારના ઉદાસીન વલણ ને લીધે ગુજરાતમાં છેલ્લાં 18 વર્ષમાં સરકારની શિક્ષણના ખાનગીકરણની નીતિને લીધે 2600 જેટલી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને કાયમી તાળા લાગી ગયા છે.
નોંધનીય છે કે 18 વર્ષ પહેલા 10,000 જેટલી ગ્રાન્ટેડ સ્કૂલો હતી, જે હવે 7400 થઇ ગઇ છે. જો આ જ નીતિ ચાલુ રહેશે તો આગામી સમયમાં તેની અસરો વ્યાપક હશે.
રાજ્યમાં સ્વનિર્ભર શાળાઓ સતત વધતી હોવાથી ગ્રાન્ટેડ શાળાઓના અસ્તિત્વ સામે સવાલ ઉભા થયા છે. કેટલીક સરકારી નીતિઓને કારણે ગ્રાન્ટેડ શાળાઓ સતત બંધ થઈ રહી છે.
રાજ્યમાં 1994 બાદથી સરકારે સ્વનિર્ભર શાળાઓ શરૂૂ કરવા મંજૂરી આપવાની શરૂૂઆત કરી હતી, ત્યાર બાદથી ગ્રાન્ટેડ શાળાઓને મંજૂરી આપવાનું રાજ્ય સરકારે ધીમે ધીમે બંધ કરી દેતા, નવી ગ્રાન્ટેડ શાળાને આજના સમયમાં મંજૂરી મળતી નથી.