વડોદરામાં ચાલુ સભામાં ચક્કર આવતા CM વિજય રૂપાણી ઢળી પડતા ભારે ચકચાર મચી ગઇ હતી મુખ્યમંત્રીને પ્રાથમિક સારવાર અપાઇ હતી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પ્રચાર જંગમાં ઉતરેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વડોદરામાં એક સભા સંબોધી હતી. આ સંબોધન દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લવ જેહાદ વિરુદ્ધ કાયદા અંગે કહ્યું કે, વિધાનસભાના આગામી સત્રમાં લવ જેહાદનો કાયદો લાવીશું. સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે લવ જેહાદના નામે જે પ્રવૃત્તિ ચાલે છે તે ચલાવશુ નહી આમ ભાષણ આપતી વખતે અચાનક જ તેઓ બેહોશ થતા સુરક્ષા કર્મીઓ એ તરત જ તેઓ ને સાંભળી લીધા હતા અને પ્રાથમિક સારવાર અપાઇ હતી અનેમુખ્યમંત્રી વિજય રૂપાણીને ગ્લુકોઝ પાણી અપાયું છે. જોકે મળતી માહિતી અનુસાર, મુખ્યમંત્રીની તબિયત સારી છે. મુખ્યમંત્રી પોતાની ગાડીમાં રવાના થયા છે. તેઓ હાલ રાજ્યમાં ચૂંટણીઓ હોઈ કેટલાક દિવસોથી સતત સભાઓ અને કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. ત્યારે આજે વડોદરામાં મુખ્યમંત્રીની 3 સભા હતી. જોકે ત્રીજી સભા દરમિયાન મુખ્યમંત્રીને ચક્કર આવ્યા હતા. મુખ્યમંત્રીએ વડોદરામાં આ અગાઉ 2 સભા સંબોધી હતી. સતત વ્યસ્ત કાર્યક્રમને લઇને ચક્કર આવ્યા હતા.
બાદ માં તબિયત સારી લાગતા તેઓ સભા ટૂંકાવી રવાના થયા હતા આ બનાવ ને પગલે સ્થાનિક ભાજપ માં ભારે દોડધામ મચી હતી.
વિગતો મુજબ મુખ્યમંત્રીની તબિયત હવે સારી છે. તેમનું બીપી લૉ થયું હતું. ડોક્ટરે સારવાર આપતા સ્વસ્થ થયા છે. વ્યસ્ત ચૂંટણી કાર્યક્રમના કારણે બીપી લૉ થઈ ગયું હતું. તેઓ એક પછી એક ચૂંટણી સભા સંબોધી રહ્યા છે. જેને પગલે થાક અને તણાવના કારણે બીપી લૉ થયાની શક્યતા છે,ત્યાર બાદ વડોદરા એરપોર્ટથી તેઓ અમદાવાદ આવવા રવાના થયા છે. મુખ્યમંત્રી જાતે ચાલીને ગાડીમાં બેઠા હતા. તેમની અમદાવાદની યુ.એન.મહેતામાં તબીબી તપાસ કરવામાં આવશે. હોસ્પિટલમાં ડોકટરોની ટીમને તૈયાર રાખવામાં આવી છે.