ગુજરાતથી મુંબઈ જઈ રહેલી ટ્રેનમાં આરપીએફ ચેતન નામના કોન્સ્ટેબલે અચાનક ફાયરિંગ મરતા 4 લોકોના મોત થયા છે.
મુંબઈના વાપી વિસ્તારથી બોરીવલી વચ્ચે આ ઘટના બની હોવાનું કહેવાય છે.
ફાયરિંગ કરનાર કોન્સ્ટેબલને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
ટ્રેનના B5 ડબ્બામાં ફાયરિંગ થયું છે. અટકાયત કરાયેલ પોલીસકર્મી આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટરના રેન્ક પર પોસ્ટેડ હોવાનું કહેવાય છે
જયપુર – મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં વહેલી સવારે ફાયરિંગની ઘટના બની છે. જેમાં એક RPF સહિત 3 પેસેન્જરના મોત થયા હોવાના અહેવાલ છે.
જયપુર-મુંબઈ સુપર ફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.