ગુજરાતમાં વાવાઝોડાની અસર અને તેના લીધે ભારે વરસાદના એલર્ટને પગલે SDRFની ટીમોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
રાજ્ય પ્રશાસને માછીમારોને દરિયો નહિ ખેડવા ચેતવણી આપી છે. સ્થાનિક સ્તરે અધિકારીઓને પણ સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આજે તા. 7 કે 8 જૂને સિસ્ટમ વધારે મજબૂત બનીને ઉત્તર અરબ સાગર તરફ આગળ વધી શકે છે.
ગુજરાતમાં કેટલી અસર કરશે તે અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી પરંતુ જે પ્રમાણેની સ્થિતિ બની રહી છે એને જોતાં વાવાઝોડું ગુજરાતને અસર કરી શકે છે એવી સ્થિતિ બની રહી છે.
દક્ષિણ અરબી સમુદ્રમાં બનેલું લો પ્રેશર હવે ઉત્તર દિશામાં આગળ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
જોકે એ આગામી દિવસોમાં સિસ્ટમ મજબૂત બન્યા બાદ ગુજરાત તરફ આવશે કે પછી ઓમાન કે પાકિસ્તાન તરફ ફંટાશે એ અંગે સ્થિતિ અનુરૂપ આગાહી કરવામાં આવશે. બિપરજોય ચક્રવાતના આવવાના થોડા દિવસ સુધી પણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદ ચાલુ રહેશે. વિભાગના જણાવ્યા અનુસાર, 7થી 11 જૂન વચ્ચે વરસાદી માહોલ ચાલુ રહેશે.
Sunday, May 5