ગુજરાતમાં વાવઝોડું ફૂંકાવાનું હોવાથી અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર આપી શકાય તે માટે 108 ઇમરજન્સી સેવાને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
108 ઈમરજન્સી માટે સ્ટાફ ખડેપગે રાખવામાં આવ્યો છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રખાઇ છે.
હાલ 200થી વધુ એમ્બ્યુલન્સ સૌરાષ્ટ્રમાં સંભવિત વિસ્તારમાં તૈનાત રખાઈ છે.
200માંથી 15 એમ્બ્યુલન્સ ઇફેકટેડ કોસ્ટલ એરિયામાં રાખવામાં આવી છે. જેથી કોઇપણ ગંભીર પરિસ્થિતિ હોય તો તેમાં મેડિકલ સેવા આપી શકાય તે પ્રકારે તૈયારી છે.
તમામ એમ્બ્યુલન્સમાં દવાનો પૂરતો જથ્થો પણ રાખવામાં આવ્યો છે. જેથી વિકટ પરિસ્થિતિમાં પણ દવાનો જથ્થો ખૂટે નહીં. બીજી તરફ 108 એમ્બ્યુલન્સના સ્ટાફને સ્ટેન્ડ રહેવા આદેશ કરવામાં આવ્યા છે.
મહત્વનું છે કે ઈંડિયન પબ્લિક હેલ્થ સ્ટેંડર્ડના નિયમ મુજબ 108 એમ્બુલેંસ સેવા દરેક વર્ગના લોકો માટે છે. આ સેવાને ઈમરજંસી મતલબ અતિઆવશ્યક સેવાના રૂપમાં માનવામાં આવી છે.
24 કલાક ચાલૂ રહેનારી એબૂલેંસ સેવા, કોલ કરતા થોડી જ વારમાં કોઈ પણ વિસ્તારમાં પહોંચી જાય છે.