વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજાની પોલીસે ધરપકડ કરતા ભારે હોહા મચી છે ત્યારે યુવરાજસિંહે પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર કેટલાક સવાલો કર્યા છે જે અક્ષર: પ્રસ્તુત છે.
1. બિપિનભાઈની ધરપકડ પછી વિડીયો સામે આવ્યો.
2. પોલીસ પોતે શું કામ ફરિયાદી છે??
3. CCTV માં વ્યક્તિ આવતા અને જતાં દેખાય છે. એના ઉપરથી આરોપ સાબિત કેવી રીતે થાય?
4. કાળી બેગમાં પૈસા જ છે એવું પોલીસે ક્યાં તથ્ય ના આધારે નક્કી કર્યું.?
5. યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સમાં જે વ્યક્તિ/નેતા/અધિકારીના નામ આપ્યાં એમને સમન્સ કેમ નહીં.?
6. વારે વારે પ્રેસ કોન્ફરન્સમાં રેન્જ IG કક્ષાના અધિકારી પ્રથમવાર જોવા મળે છે. આવું કેમ?
7. જે રીતે વિડીયો બારેથી બન્યો અને ધરપકડ કરી એ રીતે યુવરાજસિંહે જાહેરમાં પ્રેસ કોન્ફરન્સ કરી નામ લીધા છે શું એ ખોટા?
8. અત્યાર સુધી જે કાંડ યુવરાજસિંહ બહાર લાવ્યાં એમાંથી કોણ જેલમાં?
9. તમામ વ્યક્તિઓના મોબાઈલની ફોરેન્સિક તપાસ કેમ નહીં.?
10. અચાનક બધા નેતા એકસાથે બચાવ ભરી નિવેદનબાજીમાં કેમ ઊતરી આવ્યાં?
ઉપરોકત મુદ્દે તમારી શુ પ્રતિક્રિયા છે તે કોમેન્ટમાં જણાવશો.