મોદી અટક બદનક્ષી કેસમાં સુરતની નીચલી અદાલતે રાહુલ ગાંધીને બે વર્ષની સજા અને પંદર હજાર રૂપિયાના દંડની સજા સંભળાવી હતી. ત્યારબાદ રાહુલ ગાંધી દ્વારા સુરત કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારતા
બદનક્ષી કેસમાં આજે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે.
જજ હેમંત પ્રચ્છકે ચુકાદો સંભળાવ્યો હતો અને રાહુલ ગાંધીની અરજી નકારી હતી. હાઇકોર્ટને નીચલી કોર્ટના ચુકાદામાં હસ્તક્ષેપ યોગ્ય ન લાગ્યો, આથી રાહુલ ગાંધીની 2 વર્ષની સજા યથાવત રખાઇ છેજેથી હવે રાહુલ ગાંધીને સંસદપદ પાછું નહી મળી શકે.
દરમિયાન કોંગી અગ્રણી અમિત ચાવડાની પ્રતિક્રિયા સામે આવી છે તેઓએ જણાવ્યું હતું કે,આ દુઃખ થાય એવો નિર્ણય છે, અમે સુપ્રીમ કોર્ટ જઈશું.
અમિત ચાવડાએ કહ્યું કે રાહુલનો અવાજ દબાવવા પ્રયાસ કરાયો છે. વિવિધ જગ્યાએ માનહાનિના કેસો કરવામાં આવ્યા છે.
એક બાદ એક ચુકાદા આપવામાં આવી રહ્યા છે કે લોકશાહીનું હનન કરવામાં આવી રહ્યું છે.
દેશના અન્યાયો પર અવાજ ઉઠાવ્યો અને સાંસદમાં અવાજ ન ઉઠાવે તેના માટે માનહાનિના કેસો કરવામાં આવ્યા છે.
જૂના ચુકાદા હોવા છતાં પણ કોઈના દબાણમાં આવીને આવા ચુકાદા આપવામાં આવી રહ્યા છે.
કોર્ટ રૂમમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ, સિદ્ધાર્થ પટેલ, અમિત ચાવડા અને શૈલેષ પરમાર હાજર રહ્યા હતા.
જ્યારે રાહુલ ગાંધીની લીગલ ટીમના વકીલ બાબુ માંગુકિયાએ જણાવ્યું હતું કે, અમે સુપ્રીમ કોર્ટ જઈશું, રાહુલ ગાંધીએ મોદી વિશે વાત કરી હતી, કોઈ સમાજ વિશે નહીં