અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને બી.જે મેડીકલ કોલેજ પર એરફોર્સ દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી તેની પાછળ રૂ.10 લાખનું ખર્ચ થયું હોવાનું અનુમાન છે. જો આ ખર્ચ વેન્ટીલેટર ખરીદવા માટે ખર્ચ કરાયું હોત તો ઘણાં લોકોના જીવ વચી શક્યા હોય એમ કેટલાંક તબિબો માની રહ્યાં છે.
કર્મચારીઓ પોતાનો પગાર વધારવા અને કોરોના સમયે જોખમી ફરજ જેટલા દિવસ બજાવી હોય તેનો ત્રણ ગણો પગાર આપવાની માંગણી ખાનગીમાં કરી રહ્યાં છે. તેઓ કહે કે અમને યોગ્ય વળતર આપીને સલામી આપો.
આખા ગુજરાતમાં 45 હજાર ડોક્ટરો અને સ્ટાફ કોરોના સામે જોખમ ઉઠાવીને લડાઈ લડે છે તેમને સલામી કેમ નહીં માત્ર અમદાવાદના જ ડોક્ટર શું ડોક્ટર છે. ભાવનગરના ડોક્ટર એ ડોક્ટર નથી કે શું ?
કોરોના સામે લડી રહેલા જમીની યોદ્ધા એવા તબીબો પ્રત્યે એરફોર્સના આસમાની યોદ્ધા દ્વારા કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. પણ ગુજરાતના મુખ્ય પ્રધાન કે આરોગ્ય પ્રધાન કોરોનાગ્રસ્ત હોસ્પિટલની અંદર જઈને દર્દી કે ડોક્ટર કે નર્સની સાથે એક પણ વખત એક મહિનાથી રહ્યાં છે. જો ડોક્ટરો જઈ શકતાં હોય તો રાજનેતાઓ કેમ સવલતોની ચકાસણી અને ખામી શોધવા ન જઈ શકે ?
એરફોર્સ બેન્ડ દ્વારા ‘સારે જહાં સે અચ્છા હિન્દોસ્તા હમારા….’ ધૂન વગાડાતા વાતવરણ ઉર્જામય બન્યું હતું.
એરફોર્સના ૩ એસ.યુ.-30 (સુખોઈ) યુદ્ધ વિમાનોએ અમદાવાદ શહેર પર ફ્લાયપાસ્ટ કર્યું હતું. એરો-હેડ ફોર્મેશનમાં સુખોઇ વિમાનોની આ ઉડાન લો-લેવલ એટલે કે ઓછી ઊંચાઇ પરની ઉડાન હતી.
કોરોનાનું સંક્રમણ ખાળવા વિવિધ ક્ષેત્રે અનેક લેકો કોરોના વોરિયર્સ બનીને આપણું રક્ષણ કરી રહ્યા છે, ત્યારે ભારતીય વાયુ સેનાએ આજે તેમના ખાસ લડાકુ વિમાન દ્વારા દેશની હોસ્પિટલો પર પુષ્પવર્ષા કરી ને કોરોનાવાયરસ ના સેવાને બિરદાવવાની સાથે સાથે તેમનો સેવાનો જુસ્સો બુલંદ કર્યો હતો.
2 હજાર દર્દીઓની સેવા સુશ્રુષા માટે અનેક તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ અને સેવકો છેલ્લા કેટલાય દિવસોથી કાર્યરત છે. કોરોના સામેની જંગ લડી રહેલા તબીબી કર્મચારીઓ અને નર્સનો આભાર માનીએ તેટલો ઓછો છે. આવા સમયે ભારતીય વાયુસેનાએ સમગ્ર રાષ્ટ્ર વતી સૌ કોરોના વોરિયર્સનો વિશિષ્ટ આભાર માનીને તેઓનું મનોબળ વધાર્યું છે.