સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મહેશ બગડીયા સાહેબના ઓર્ડર દ્વારા પોલીસ તથા પ્રજા વચ્ચે પરસ્પર સંવાદનો સેતુ નિર્માણ કરવાના ઉદ્દેશથી
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસનું સકારાત્મક પગલું’. એક તક પોલીસ’ને ઉદ્દેશ હેઠળ એક જ સ્થળે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાની આમ જનતાની ફરિયાદ રજૂઆતો સાંભળવામાં આવશે. વિગતે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા એક પ્રેસ નોટ આપીને સુરેન્દ્રનગરની જનતાને વ્યાજખોરો તથા ભૂમાફિયાઓને નેસ્ત નાબૂદ કરવા માટે તાલીમ ભવન કચેરી કમ્પાઉન્ડ સુરેન્દ્રનગર ખાતે તારીખ તારીખ 31 જુલાઈ ના રોજ સવારે 10 થી બપોરના બે વાગ્યા સુધી લોકસંપર્કના એક કાર્યક્રમનું આયોજન કરેલ છે. આ લોકસંપર્ક કાર્યક્રમમાં જનતાને પોલીસ સમક્ષ ભૂમાફિયા તેમજ વ્યાજખોરો વિરુદ્ધ પોતાની સમસ્યાની રજૂઆત કરવાની અપીલ કરવામાં આવી છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના સુરેન્દ્રનગર લીંબડીના નાયબ પોલીસ અધીક્ષકશ્રીઓ ,એલ.સી.બી તથા એસ.ઓ.જી પોલીસ ઇન્સ્પેકટર તથા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવા માટે સમગ્ર જિલ્લા વિસ્તારના નાગરિકોને હાજર રહેવા અપીલ કરવામાં આવે છે
આ લોક સંપર્ક કાર્યક્રમમાં જે કોઈ વ્યક્તિએ નાણાં ધીરનાર મંડળી પાસેથી નિયત કરતા વધુ વ્યાજ આપી લોન લીધેલ હોય તેમજ મોર્ગેજ પેટે મોટી કિંમતનો જમીન કે મકાનનો દસ્તાવેજ,પ્રિમિસરી નોટ,ચેક નાણાં અથવા નાણાનું વ્યાજ ચૂકવી આપેલ હોય તેમ છતાં ધિરાણ કરનાર છેતરપિંડી કે વિશ્વાસઘાત કરી પરત ન કરતા હોય તેવા પણ રજૂઆત કરી શકશે. તેમની રજૂઆતો સાંભળી સંપૂર્ણ તપાસ કરી ન્યાય અપાવવામાં આવશે. આ સિવાય, માથાભારે તત્વો દ્વારા જેમની જમીન તથા મિલકતો ઉપર ગેરકાયદેસર કબજો કરી લેવામાં આવ્યો હોય તેવા પીડિત માણસોની રજૂઆત પણ સાંભળવામાં આવશે અને તેમની પણ સમસ્યાનું નિરાકરણ કરી અંગે સકારાત્મક પગલાં ભરવામાં આવશે