સાણંદ સ્ટેટ રાજવી જયશિવસિંહજી રુદ્રદત્તસિંહ વાઘેલાની માલિકીની ગોરજ ગામ ખાતે આવેલી કરોડો રૂપિયાની કિંમતની મનાતી જમીન પડાવી લેવા મામલે સ્વ.રાજવી જયશિવસિંહજીના ધર્મપત્ની દાત્રીદેવીએ સાણંદ પોલીસ મથકમાં ૧૦ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
સાણંદ પોલીસ ચોપડે નોંધાયેલ વિગત મુજબ સાણંદ સ્ટેટ જયશિવસિંહજી વાઘેલા રહે. દરબારગઢ સાણંદ જેઓનું ગત ૨૧ સપ્ટેમ્બરના રોજ અવસાન થયેલ. તેઓની ગોરજ ગામની સીમમાં આવેલ જમીન અંગે હાઇકોર્ટમાં ચાલતી અપીલમાં સમાધાન થતા ગોરજ ગામના સર્વે નંબર ૫૩૭ તથા ૩૮૦ પૈકી વાળીજમીનના દસ્તાવેજ જે તે પાર્ટીઓને કરી આપવા હાઇકોર્ટે ૧૪-૧૧-૧૯ ના રોજ હુકમ કરેલ જેથી તે વખતે જયશિવસિંહજી હયાત હોઈ તેઓને એડવોકેટ કિરીટસિંહ ગોવિંદસિંહ સોલંકીએ ઉપરોક્ત દસ્તાવેજો માટે ૯-૧-૨૦૨૦ ના રોજ સાણંદ સબરજીસ્ટાર કચેરી ખાતે પરિવાર સાથે બોલાવેલ અને સહીઓ કરાવી દસ્તાવેજ કરાવેલ ત્યાર બાદ જયશિવસિંહજી પરિવારના સીએ દ્વારા તેઓનેજાણ થયેલ કે ગોરજ ગામની સર્વે નંબર ૩૨૬/૧ વાળી જમીનનો દસ્તાવેજ થયેલ છે હકીકતમાં હાઇકોર્ટના હુકમમાં આ જમીનનો દસ્તાવેજનો કોઈ ઉલ્લેખ ન હતો અને તેની કોપી પણ જયશિવસિંહજીના પરિવારને આપવામાં આવી ન હતી જેથી જયશિવસિંહજીના પત્ની દાત્રીદેવીએ તાપસ કરતા પોતાના પતિને આંખે દેખાતું ન હોઈ તેનો ગેરલાભ ઉઠાવી વિશ્વાસ ઘાતકરીને આ દસ્તાવેજ કરાવી લેવાનું સામે આવ્યું હતું .
જેમાં વેચાણ લેનાર તરીકે એડવોકેટ કિરીટસિંહ સોલંકીના સાસુ મંજુલાબેન હરિભાઈ તેમજ માસી સાસુ ગીતાબેનના નામો હતા.અને જેના અવેજ પેટે ટુકડે ટુકડે રોકડ ૧૭૭૭૫૦૦૦ ચૂકવાઈ હોવાનું દર્શાવેલ હતું. ત્યારે દાત્રીદેવીએ કરેલ ફરિયાદ મુજબ તેઓને કોઈ અવેજ ચુકાવવાવામાં આવી નથી બીજી તરફ આ જમીન અન્ય ઈસમો નામે વિનોદભાઈ પરષોત્તમભાઇ રબારાં, મનશુખભાઈ માધવજીભાઈ સુરેજા , રાજ ભીખુ શાહ , ઋષભ રાજ શાહ ને વેચાણ આપી દેવામાં આવી હતી.
જેમાં સાક્ષી તરીકે કિરીટસિંહ સોલંકી અને રક્ષાબા કિરીટસિંહ સોલંકી તેમજ દિગપાલસિંહ કનુભા સીસોદીયા ના નામો છે ત્યારે આ સમગ્ર કાવતરું આચરી જમીન પોતાના નામે કરાવી લઇ છેતરપિંડી આચરનાર કિરીટસિંહ ગોવિંદસિંહ સોલંકી , રિદ્ધિસિદ્ધિ સોસાયટી ,સાણંદ , મંજુલાબેન હરિભાઈ સૌલંકી , હળવદ , ગીતાબેન હરિભાઈ સોલંકી નીલકંઠ બંગલો , નરોડા , પાર્થ શાહ , અમદાવાદ , રક્ષાબા કિરીટસિંહ સોલંકી રિદ્ધિસિદ્ધિ સોસાયટી ,સાણંદ, દિગપાલસિંહ કનુભા સીસોદીયા ગોહિલશેરી ,સાણંદ , વિનોદભાઈ પરષોત્તમભાઇ રબારાં , મનસુખભાઇ માધવજી સુરેજા પીનેકલ પાર્ક ,પ્રહલાદનગર ,અમદાવાદ , રાજ ભીખુભાઇ શાહ , ઋષભ રાજ શાહ શ્રિવનબંગ્લો, બોડકદેવ ,અમદાવાદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સાણંદ પીઆઇ વી ડી મંડોરાએ 10 વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે