સૌરાષ્ટ્રના બોટાદ રેલવે સ્ટેશન ઉપર બોટાદ-ધાંગધ્રા ડેમુ ટ્રેનમાં આગ લાગતા ભારેદોડધામ મચી જવા પામી હતી.
બોટાદ રેલવેના પ્લેટફોર્મ નંબર 7 ઉપર આ ટ્રેન બંધ હાલતમાં હતી ત્યારે ટ્રેનના 3 ડબ્બામાં આગ આગ લાગવાનો બનાવ બન્યો હતો જોકે,ટ્રેનમાં કોઈ પેસેન્જર નહિ હોવાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.
ઘટના અંગેની જાણ થતાં જ રેલવે વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
સાથેજ ફાયર ફાઈટરના 30 જવાનો સહિત 3 ફાયરની ગાડી સ્થળ ઉપર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ આ ડેમુ ટ્રેન બોટાદથી સુરેન્દ્રનગર તરફ જવા સાંજે 6 વાગે ઊપડે છે.
ટ્રેન બોટાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 ઉપર બંધ હાલતમાં હતી ત્યારે એકાએક કોઈ કારણસર આગ લાગી હતી. જોકે આગ લાગવાનું કારણ હજી અકબંધ છે.