રાજ્યમાં ભારે ચકચાર જગાવનાર બોગસ પીએસઆઈ મયૂર તડવી પ્રકરણમાં કરાઈ એકેડેમીમાં એન્ટ્રી કરી ટ્રેનિંગ પણ શરૂ કરી દીધી ત્યાં સુધી જવાબદાર અધિકારીઓને ખબર કેમ ન પડી ? તે કેસમાં બેદરાકારી દાખવનારા બે પોલીસ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય પીએસઆઈ ભરતીનું વેરિફિકેશન કરનારા એસઆરપીના ચાર જવાનોને પણ સસ્પેન્ડ કરાયા બાદ આ મામલાની વધુ તપાસ કરાઈ ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપલને સોંપવામાં આવી છે ત્યારે આ આખો મામલો બહાર લાવનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પણ સરકારનો આભાર માન્યો છે અને કહ્યું છે કે, આ મુદ્દે સંપૂર્ણ તપાસ થવી જોઈએ.
સત્યડે સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું કે આ કેસમાં સંપૂર્ણ તપાસ અને જવાબદારોને કડક સજા થવી જોઈએ.
યુવરાજસિંહને પૂછવામાં આવ્યું કે એકેડેમી દ્વારા તમને આ વિગત ક્યાંથી મળી તેની તપાસ કરશે તેવા અગાઉ અહેવાલ હતા તો શું કહેશો?ત્યારે તેઓએ કહ્યું કે ‘હું તો બસ ચોકીદાર છું ! અને ચોકીદારના ત્યાં તપાસ કરવાને બદલે જ્યાં ચોરી થઈ છે ત્યાં તપાસ કરો અને કોણ કોણ ચોર છે તેને પકડો અને સજા કરો !
આમ,એકેડમીને પોતાની તપાસ કરવાને બદલે ચોર લોકોને પકડી તપાસ કરવા ઉપર ભાર મુક્યો હતો અને પોતે યુવાઓના હિતમાં દેશ હિતમાં આવા અભિયાન સતત ચાલુ રાખશે તેમ ઉમેર્યું હતુ.