ગુજરાતમાં આજે બુધવારે ફરી કોરોનાના નવા કેસોમાં વધારો થયેલો જોવા મળ્યો છે. રાજ્યમાં ગત રોજ કોરોનાના 10 હજાર 990 કેસ નોંધાયા હતાં તો આજે છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા કેસ વધીને 11,017 કેસ સામે આવ્યાં છે તો 15,264 દર્દીઓ સાજા થયા છે કે જેઓને રજા આપવામાં આવી છે. જ્યારે 102 દર્દીઓના મોત નિપજ્યાં છે. જેમાંથી અમદાવાદમાં 17, સુરતમાં 14, વડોદરામાં 9 અને રાજકોટમાં 8 દર્દીઓના મોત નિપજ્યાં છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,78,397 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે તો રાજ્યમાં આજ રોજ કુલ 1,87,724 દર્દીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
આજ રોજ રાજ્યમાં કુલ દર્દીઓની વાત કરીએ તો હાલમાં કુલ 1 લાખ 27 હજાર 483 એક્ટિવ કેસો, 804 દર્દીઓ વેન્ટિલેટર પર જ્યારે 1,26,679 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે તો કુલ મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 8731 એ પહોંચી છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે અને સવારથી જ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન માટે લાંબી લાઈન જોવા મળે છે. અમદાવાદના નિકોલ, ડ્રાઈવ ઈન સિનેમા અને સરદાર પટેલ સ્ટેડિયમમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે અને સવારથી 400થી વધુ કારની લાંબી લાઈન જોવા મળી હતી.