અમદાવાદ: લોભી હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે આ કહેવત સાચી પડી છે શહેરના નવા બાપુનગર વિસ્તારમાં રહેતા અને મ્યુ. કોર્પોરેશનના કર્મચારી તરીકે ફરજ બજાવતા હસમુખભાઇ બ્રહ્મભટ્ટ પર, જેમણે 25 લાખ રૂપિયાની લોન લેવાના ચક્કરમાં સવા લાખ રૂપિયા ગિઠયાઓને આપી દીધા છે. હસમુખભાઇ છેલ્લા બે મહિનાથી બાપુનગર પોલીસ સ્ટેશન તથા ક્રાઇમ બ્રાંચમાં છેતરિપંડીની ફરિયાદ નોંધાવવા માટે ધક્કા ખાય છે.
સાયબર ક્રાઇમનો ભોગ બનેલા હસમુખભાઇ બ્રહ્મભટ્ટે જણાવ્યું છે કે નવેમ્બર-2015માં દિલ્હીથી અમિત શર્મા તથા અભિષેક ખંડેલવાલનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે 0% વ્યાજ પર 25 લાખ રૂપિયાની લોન મળશે. જો તમે ઇન્સ્યોરન્સ પોલિસી લેશો તો… 0% વ્યાજ પર લોન લેવાની લાલચમાં આવી ગયેલા હસમુખભાઇએ એચડીએફસી ઇન્સ્યોરન્સ પોિલસી, એકસાઇડ લાઇફ ઇન્સ્યોરન્સ પોલિસી તથા ફ્યૂચર જનરલીની 7.76 લાખની પોિલસી લીધી હતી.
પોલિસી લેતાંની સાથે જ ગિઠયાઓએ હસમુખ બ્રહ્મભટ્ટના મેઇલ આઇડી પર ભારતીય રિઝર્વ બેન્કના લેટરપેડ પર આરબીઆઇના ગવર્નર ડો. રઘુરામ રાજને 25 લાખ રૂપિયાની લોન પાસ થઇ ગઇ હોવાનો એક લેટર મોકલ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે આ 25 લાખની લોનમાં હસમુખભાઇને 17.50 લાખ રૂપિયા 10 વર્ષ સુધી ભરવાના હતા. લોનનો ચેક મોકલવા માટે ગિઠયાઓએ સવા લાખ રૂપિયા માગ્યા હતા, જેમાં હસમુખભાઇએ સવા લાખ રૂપિયા ગિઠયાઓના ખાતામાં મોકલી આપ્યા હતા.
લોનનો કોઇ ચેક નહીં આવતાં હસમુખભાઇએ આ લેટર એચડીએફસી બેંકને બતાવ્યો હતો. જ્યાં લેટર ખોટો હોવાનું સામે આવતાં હસમુખભાઇએ ફિરયાદ નોંધવા માટે 21-8-2016ના રોજ ક્રાઇમ બ્રાંચમાં અરજી આપી હતી. સાયબર ક્રાઇમે અરજીને 29-8-2016ના રોજ બાપુનગર પોલીસ સ્ટેશનમાં મોકલી આપી હતી. બાપુનગર પોલીસે તપાસ નહીં કરતાં સાયબર ક્રાઇમ એક્ટ હેઠળ ગુનો બનતો હોવાથી અરજી 29-9-2016ના રોજ ક્રાઇમ બ્રાંચમાં મોકલી આપી હતી.
હસમુખભાઇ સાથે થયેલી છેતરિપંડીની ફરિયાદ દાખલ કરાવવા માટે તેઓ છેલ્લા બે મહિનાથી ક્રાઇમ બ્રાંચ તથા બાપુનગર પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાય છે તેમ છતાંય તેમની ફરિયાદ દાખલ થતી નથી. આ મુદ્દે ક્રાઇમ બ્રાંચના જેસીપી જે. કે. ભટ્ટે જણાવ્યું છે .