ગુજરાતમાં સવા ત્રણ કરોડ લોકોને કાલથી વિનામૂલ્યે શું મળશે?
ગાંધીનગર — રાજ્યના અંત્યોદય અને P.H.H રેશન કાર્ડ ધરાવતા ૬૬ લાખ પરિવારોના ૩.રપકરોડ લોકોને આવતીકાલ, ૧ એપ્રિલથી ૧૭૦૦૦ જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનોપરથી ઘઉં, ચોખા, ખાંડ, મીઠું અને દાળનું એપ્રિલ માસ પૂરતું વિનામૂલ્યે વિતરણ કરવામાંઆવશે.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, આ અનાજ વિતરણવ્યવસ્થામાં પણ સોશિયલ ડિસ્ટન્સનો અભિગમ નાગરિકોની આરોગ્ય સલામતિ હેતુસરજાળવવાની તાકીદ સસ્તા અનાજના દુકાનધારકોને અને તંત્રવાહકોને મુખ્યમંત્રીશ્રીએ કરી છે.
આ અનાજ વિતરણ સુચારૂં અને સરળતાથી થઇ શકે તેમજ ભીડભાડ ન થાય તે માટેમુખ્યમંત્રીએ ગ્રામીણ વિસ્તારોમાં ૪ લોકોની અને શહેરી ક્ષેત્રોમાં ૩ લોકોની કમિટી બનાવવાસૂચન કર્યુ છે.
તદ્દઅનુસાર, ગ્રામીણ ક્ષેત્રોમાં શિક્ષક, તલાટી અથવા ગ્રામસેવક, ગૃહ રક્ષકદળ કે પોલીસતેમજ સ્થાનિક અગ્રણીની આ કમિટી બનશે. શહેરી વિસ્તારોમાં શિક્ષક, સેવા સંગઠનનાપ્રતિનિધિ અને પોલીસની કમિટી બનાવવામાં આવશે.
અશ્વિનીકુમારે જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રીએ એવા પણ દિશાનિર્દેશો આપેલા છે કે, રાજ્યના દરેકસરકાર માન્ય સસ્તા અનાજ દુકાનદારો પાસે લાભાર્થી ગ્રાહકોના મોબાઇલ નંબરોના ડેટાબેઇઝઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરી રપ–રપ લાભાર્થીને ફોનથી જાણ કરી આગોતરો સમય આપીનેજ અનાજ લેવા માટે બોલાવવામાં આવે.
અશ્વિનીકુમારે કહ્યું કે, આગામી ૪ એપ્રિલથી પરપ્રાંતના પરિવારોને અન્નબ્રહ્મ યોજના અન્વયેસરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ અપાશે. આવા વ્યકિત–પરિવારોની યાદીસંબંધિત જિલ્લાના કલેકટર તંત્રએ તૈયાર કરી છે.
મુખ્યમંત્રી રૂપાણીએ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં રોજગારી–રોજીરોટી માટે આવેલા શ્રમિકો–કારીગરો સહિત રાજ્યના અંતરિયાળ ગામોના વતની શ્રમજીવીઓ પ્રવર્તમાન સ્થિતીમાં પોતાનાવતન–ગામ પાછા ન જાય તે માટે તેમને આશ્રય અને ભોજન વગેરે વ્યવસ્થા માટે રાજ્યમાંવિવિધ સ્થળોએ ૪૦ કરોડ રૂપિયાના ખર્ચે આશ્રય–રાહત શિબિર શેડ બનાવવા SDRFમાંથીખાસ ફાળવણી કરી છે.
આવા શેડ બનાવવા માટે અમદાવાદને રૂ. ૩ કરોડ, સુરતને રૂ. ર.પ૦ કરોડ, વડોદરા, રાજકોટઅને ગાંધીનગર પ્રત્યેકને રૂ. ર–ર કરોડ તેમજ અન્ય જિલ્લાઓને ૧ કરોડ રૂપિયા ફાળવવામાંઆવ્યા છે.