નર્મદામાં 17 મી જુન, 2020ના રોજ ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની વિસ્તારના રહીશ 26 વર્ષિય SRP ગ્રુપ 18 નો જવાન દિનેશ બારીયાનો કોરોના રિપોર્ટ પીઝિટિવ આવ્યો હતો એ બાદ બીજે જ દિવસે 34 વર્ષીય અન્ય SRP જવાન રામલાલ વાળાનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવતા અન્ય જવાનોમાં ફફડાટ ફેલાયો હતો.હવે ફરી 19 મી જૂનના રોજ એક સાથે 4 SRP જવાનોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં હડકંપ મચ્યો છે.
એ બાદ 20 મી જૂને કેવડિયાના 6 SRP જવાનો એક મહિલા અને રાજપીપળાના એક વૃદ્ધ સહીત 8 કેસ કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં હડકંપ મચ્યો છે.કેવડિયા STP ગ્રુપ 18 ના જવાનો પૈકી ભીમસિંગ આર વસાવા, જનકભાઈ એસ ચાવડા, કનુભાઈ છગનભાઈ બારીયા, અનિલ એસ વસાવા, SRP જવાનના સંબંધી રમીલાબેન આર વાળા, અતુલ.કે.વસાવા, જયપાલસિંહ સોલંકી તથા અમદાવાદથી રાજપીપળા આવેલા દક્ષિણી ફળિયાના 65 વર્ષીય વૃદ્ધ ભરતભાઈ અંબાલાલ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તમામને રાજપીપળા કોવિડ:19 હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.