‘આપ’ને આ FLC પ્રક્રિયામાં ગંભીરતાથી સમાવેશ નહીં કરવામાં આવે તો અમે ઇલેક્શન કમિશનને કોર્ટમાં લઈ જઈશું: પુનિત જૂનેજા
‘આપ’ આશા રાખે છે કે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચુંટણી કરાવવાની જવાબદારી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા લેશે: પુનિત જૂનેજા
ગુજરાતમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચુંટણી નહીં થાય તો ગુજરાતની જનતા સાથે તે અન્યાય છે: પુનિત જૂનેજા
ઇલેક્શન કમિશનને અમારો વિશ્વાસ પાછો જીતવો પડશે: પુનિત જૂનેજા
ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ગાઈડલાઈન મુજબ બધા અલગ અલગ કામ કંઈ રીતે કરી શકે? એ એક મોટો સવાલ છે: પુનિત જૂનેજા
ઇલેક્શન કમિશન વાલા દવલાની નીતિથી કામ કરી રહી છે એવું અમને લાગે છે: પુનિત જૂનેજા
ચીફ ઇલેક્શન કમિશનર કહે છે ‘આપ’ ગુજરાતમાં રજીસ્ટર પાર્ટી છે, નેશનલ લેવલે રેકોગ્નાઇસ પાર્ટી નથી એટલે અમે તમને નથી બોલાવતા: પ્રણવ ઠક્કર
અમદાવાદ/ગુજરાત
આમ આદમી પાર્ટીના લીગલ સેલના નેતા પુનિત જૂનેજાએ એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ ને સંબોધિત કરતા મીડિયાને જણાવ્યું હતું કે,ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એ પ્રી ઇલેક્શનનું કામ ચાલુ કરી દીધું છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના નિર્દેશથી ગુજરાતમાં ફર્સ્ટ લેવલ નું EVM મશીનનું ચેકિંગ શરૂ કરવામાં આવેલ પરંતુ તેમાં આમ આદમી પાર્ટીને આમંત્રિત કરવામાં આવી ન હતી. જે બાબતે મુખ્ય ઇલેક્શન ઓફિસરને મળવા માટે અમે લોકો ગાંધીનગર ગયા હતા ત્યારે એમણે અમને જાણ કરી કે તમે રેકોગ્નાઈઝ પાર્ટી નથી, પરંતુ મોડાસામાં અમને ઇલેક્શન ઓફિસરે એ FLC એટલે કે ફર્સ્ટ લેવલ ચેકિંગ માટે બોલાવ્યા હતા. પરંતુ બીજી જગ્યાએ અમને નથી કહ્યું, તો એ સવાલ એ છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં સ્થાપિત થઈ છે કે નથી થઈ? શું જુદા જુદા જિલ્લા અધિકારી નક્કી કરશે કે ગુજરાતની જનતા નક્કી કરશે? બધા લોકો જોઈ રહ્યા છે, જાણી રહ્યા છે કે આમ આદમી પાર્ટી ગ્રાઉન્ડ ઉપર છે અને આ ઇલેક્શનમાં અમે ઉમેદવાર પણ જાહેર કરવાના ચાલુ કર્યા છે. મારું માનવું છે કે એક આમ નાગરિકને પણ સત્તા હોવી જોઈએ કે એ જઇને ચેક કરી શકે કે EVM મશીન કઈ રીતે કામ કરે છે, અને EVM મશીનના ફર્સ્ટ લેવલના ચેકિંગ માં ભાગ લઈ શકે.
29 ઓગસ્ટના રોજ અમે રજૂઆત કરી હતી કે અમને બોલાવો અને આ પ્રક્રિયામાં ભાગ લેવાનો મોકો આપો. આ પ્રક્રિયા નક્કી કરશે કે ગુજરાતની ચૂંટણી કઈ રીતે આગળ વધશે. અત્યાર સુધી તેમના તરફથી કોઈ જવાબ આવ્યો નથી. એમને એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટીને જવાબ આપવાની કોઈ જરૂર નથી. તો આજે અમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ને વિનંતી કરીએ છીએ કે, જો તમે આમ આદમી પાર્ટીને આ પ્રક્રિયામાં ગંભીરતાથી સમાવેશ નહીં કરો તો એના માટે અમારે કોર્ટમાં જવું પડશે તો અમે જઈશું અને એ બાબતે અમે ઇલેક્શન કમિશનને કોર્ટમાં લઈ જઈશું. અમે ગુજરાત સ્ટેટ ઇલેક્શન કમિશનમાં રેકોગ્નાઈઝ પાર્ટી છીએ. ગુજરાતી ચૂંટણીમાં અમે શું ભાગ ભજવ્યો છે એ અહીંની જનતા જાણે છે અહીંયા ની સિસ્ટમ પણ જાણે છે અહીંની સિસ્ટમ જ ઇલેક્શન કમિશનને સપોર્ટ કરે છે.
ઇલેક્શન કમિશનને અમારો વિશ્વાસ પાછો જીતવો પડશે કારણ કે આમ આદમી પાર્ટી આશા રાખે છે કે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચુંટણી કરાવવાની જવાબદારી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની છે. જો ગુજરાતમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચુંટણી નહીં થાય તો ગુજરાતની જનતા સાથે તે અન્યાય છે.
અરવલ્લીમાં અને અન્ય જિલ્લામાં અમને આમંત્રણ આપવામાં આવેલું છે, પરંતુ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા કોઈપણ જગ્યાએ અમને બોલાવવામાં આવતા નથી. તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ની ગાઈડલાઈન મુજબ બધા અલગ અલગ કામ કઈ રીતે કરી શકે એ એક મોટો સવાલ છે? ઇલેક્શન કમિશન વાલા દવલાની નીતિ થી કામ કરી રહી છે એવું અમને લાગે છે.
આમ આદમી પાર્ટીના લીગલ સેલના પ્રદેશ પ્રમુખ પ્રણવ ઠક્કરે કહ્યું કે, ચીફ ઇલેક્શન કમિશનરે એવું કહ્યું છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં રજીસ્ટર પાર્ટી છે, રેકોગ્નાઇસ પાર્ટી નથી નેશનલ લેવલે એટલે અમે તમને નથી બોલાવતા. ત્યાં અધિકારી અલગ કહે છે અને જિલ્લાના અધિકારી અલગ કહે છે તો શું ગાંધીનગર, અરવલ્લી અને અન્ય જિલ્લામાં નિયમો અલગ અલગ છે?
આ મહત્વની પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના લીગલ સેલના પ્રદેશ સચિવ પુનિત જૂનેજાની સાથે આમ આદમી પાર્ટીના લીગલ સેલના પ્રદેશ પ્રમુખ પ્રણવ ઠક્કર, ઉર્વશી મિશ્રા અને ઓમ કોટવાળ પણ ઉપસ્થિત રહ્યા હતા.