અમદાવાદ શહેરનો સીટીએમ બ્રિજ હવે સુસાઇડ બ્રિજતરીકે ઓળખાવવા લાગ્યો છે. આ બ્રિજ પરથી માત્ર 2 જ દિવસમાં ત્રણ લોકોએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જેના કારણે લોકોએ સુસાઇડ કેસો પર નિયંત્રણ લાવવા તંત્ર પાસે બ્રિજ પર રેલિંગ મૂકવાની માંગણી કરી છે.
આ બાબતે મળતી માહિતી અનુસાર, અમદાવાદના સીટીએમ બરોડા-એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક જામ ના થાય એ માટે ડબલ ડેકર બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ તેની બનાવટની ખાસિયતને કારણે પહેલેથી જ વિવાદમાં રહ્યો હતો. જો કે તાજેતરમાં બે જ દિવસમાં ત્રણ લોકોએ આત્મહત્યા કરતા ચારે બાજુ ચકચાર મચી જવા પામી છે. સીટીએમ ડબલ ડેકર બ્રિજ હવે સુસાઇડ પોઇન્ટ તરીકે ઓળખાવા લાગ્યો છે. લોકો અગમ્ય કારણોસર બ્રિજ પરથી કૂદીને આત્મહત્યા કરી રહ્યાં છે.