Ahmedabad plane crash: મૃતકોની પુષ્ટિ: ન્યૂઝ એજન્સી AP એ તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બરના મૃત્યુ ની આપી માહિતી
Ahmedabad plane crash: અમદાવાદમાંથી લંડન માટે ઉડાન ભરી રહેલું એયર ઈન્ડિયા ફ્લાઇટ AI-171 દુર્ઘટનાગ્રસ્ત થયુ છે. ન્યૂઝ એજન્સી AP એ પુષ્ટિ આપી છે કે આ દુર્ઘટનામાં સવાર તમામ 242 મુસાફરો, જેમાં પાયલોટ અને ક્રૂ મેમ્બર પણ સામેલ છે, એ લોકોએ જીવ ગુમાવ્યા છે.
આ પ્લેન બપોરે 1:38 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી અને ટેકઓફ પછી થોડા જ મિનિટોમાં આ દુર્ઘટના બની ગઇ. ફ્લાઈટમાં કુલ 242 મુસાફરો હતા, જેમાં 169 ભારતીયો, 53 બ્રિટિશ, 1 કેનેડિયન અને 7 પોર્ટુગીઝ નાગરિકોનો સમાવેશ થાય છે.
આ દુર્ઘટના સ્થળના દૃશ્યોને આધારે અમદાવાદ પોલીસ કમિશનર મુજબ, “દુર્ઘટના બાદના દૃશ્યો જોવા પછી એ જણાય છે કે કોઈ પણ વ્યક્તિ જીવિત બચી શક્યો નહી.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે આ એક અત્યંત દુઃખદ ઘટના છે. તેમણે પીડિત પરિવાર સાથે સંવેદના વ્યક્ત કરી છે. ગૃહમંત્રી અમિત શાહ પણ આ દુર્ઘટનાના સ્થળ પર પહોંચવા માટે આગળ વધ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ (Twitter) પર પોસ્ટ કરી, “આ દુર્ઘટનાથી હું વ્યથિત છું. શબ્દોમાં નથી વ્યક્ત કરી શકાતી દુઃખદ ઘટના છે. પીડિત પરિવારના સભ્યો પ્રત્યે મારી ગહન સંવેદના છે.”
આ દુર્ઘટનાની તપાસ અને રાહત કાર્ય માટે ડીઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવી છે. CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ મામલે અમિત શાહ સાથે વાતચીત કરી રહ્યા છે.