Ahmedabad Plane Crash : અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ AL-171 દુર્ઘટનામાં 241 લોકોના મૃત્યુ, એક મુસાફર ચમત્કારિક રીતે બચ્યો
Ahmedabad Plane Crash : અમદાવાદ વિમાન દુર્ઘટનાએ સમગ્ર ઉડ્ડયન ક્ષેત્રને હચમચાવી દીધું છે. 12 જૂન, 2025ના રોજ અમદાવાદથી લંડન જવા રવાના થયેલું એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ઉડાન ભર્યા પછી થોડા સમયના અંતરમાં મેડિકલ કોલેજના કેમ્પસ ઉપર જઈ પડ્યું…. દુર્ઘટનામાં 230 મુસાફરો અને 12 ક્રૂમેમ્બર સહિત કુલ 241 લોકોના મૃત્યુ થયા છે. માત્ર એક જ મુસાફર જીવિત બચી ગયો છે, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
DGCAનો કડક નિર્ણય: તમામ B787 વિમાનોની ચકાસણી
આ ગમખ્વાર ઘટનાને ધ્યાનમાં લઈ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ તાત્કાલિક દેશમાં તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. તેમાં ખાસ કરીને એર ઇન્ડિયાના B787-8 અને B787-9 વિમાનોને આવરી લેવામાં આવ્યા છે. આ વિમાનોમાં GenX એન્જિન લગાવવામાં આવ્યા છે અને તેઓ દેશભરમાં સેવા આપે છે.
DGCAએ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે 15 જૂનથી તમામ B787 વિમાનો માટે ઉડાન પહેલા કેટલીક તકનિકી ચકાસણીઓ ફરજિયાત રહેશે. આ પગલાનું મુખ્ય ઉદ્દેશ ભવિષ્યમાં આવી કોઈપણ દુર્ઘટનાને ટાળવાનું છે.
ફ્યુઅલ પેરામીટર સિસ્ટમ અને મોનિટરિંગ: ઇંધણના દબાણ, પ્રમાણ અને પ્રવાહને નિયંત્રિત કરતી વ્યવસ્થાની ગહન તપાસ
કેબિન એર કોમ્પ્રેસર અને એન્જિન કંટ્રોલ સિસ્ટમ: કેબિનના દબાણ અને એન્જિનના ઇલેક્ટ્રોનિક નિયંત્રણોની કડી ચકાસણી
હાઇડ્રોલિક અને ટેકઓફ ધોરણો: વિમાનના ટેકઓફ દરમિયાન લાગૂ થતી સલામતી નીતિઓ અને મશીનરી કામગીરીની સમીક્ષા
ફલાઈટ કંટ્રોલ ઇન્સ્પેક્શન: દરેક ટ્રાન્ઝિટ ચકાસણી દરમિયાન આઈટમ ફરજિયાત રીતે કરવામાં આવશે
પાવર એશ્યોરન્સ ચેક: દર બે અઠવાડિયે વીજ અને એન્જિન ક્ષમતા અંગેનું પરિક્ષણ
ગત 15 દિવસની રિપોર્ટ સમીક્ષા: જેમાં બોઇંગ 787 વિમાનોમાં થયેલા કોઈ પણ અસ્પષ્ટ ખામીઓની તપાસ થશે
AAIBને સોંપાઈ તપાસની જવાબદારી
આ ઘટના પછી નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળના એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ને અધિકૃત તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ NIA અને અન્ય કેન્દ્રિય એજન્સીઓએ પણ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી છે. જો કે, હાલમાં તપાસ સંબંધિત કોઈ વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી.
એક ભવિષ્યનું સંકેત: સલામતી હવે પ્રાથમિકતા
આ દુર્ઘટનાએ દેશમાં વિમાન સલામતીની વ્યવસ્થા સામે મોટા પ્રશ્નો ઊભા કર્યા છે. DGCAના તાત્કાલિક પગલાઓ એ દર્શાવે છે કે હવે સંસ્થા વધુ સફાળુ બની રહી છે. B787 વિમાનો પર ખાસ ધ્યાન આપીને ભવિષ્યમાં આવું ફરી ન બને એ માટે હવે દરેક બાજુથી કડક પગલાં લેવામાં આવશે.