Ahmedabad Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ઊંડો પ્રેમ દાખવતી ઘટના પાછળનો સંવેદનશીલ સંયોગ
Ahmedabad Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા એક દંપતીની કથા એ વાત સાબિત કરે છે કે સાચો સંબંધ મૃત્યુ બાદ પણ એકતાનું સ્વરૂપ જીવંત રાખે છે. બ્રિટનમાં વસવાટ કરતા અને મૂળ ગુજરાતી એવા અશોકભાઈ અને શોભનાબેન પટેલ – આ દંપતીના DNA સેમ્પલ જે ક્રમમાં મેળવાયા, તે ભાવુકતા ઊભી કરે છે. અશોકભાઈનો સેમ્પલ 98મા અને શોભનાબેનનો 99મા ક્રમે મળ્યો – જાણે જીવનની જેમ મૃત્યુમાં પણ સાથે રહેવાનો પ્રતિજ્ઞાબદ્ધ સંબંધ સાકાર થયો હોય.
જીવનભર સાથે રહ્યા… મૃત્યુ પછી પણ અલગ ન થયા
1978થી બ્રિટનમાં સ્થાયી થયેલા અશોકભાઈ અને શોભનાબેન અમદાવાદની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા. દુર્ઘટના બાદ તેમના પુત્રો મિતેન અને હેમેન પટેલ DNA માટે અમદાવાદ આવ્યા. પિતાનું DNA મેચ થવાની માહિતી ફાધર્સ ડેના દિવસે મળતાં મિતેન માટે આ ક્ષણ દર્દભરી પણ લાગણીસભર બની. તેઓ પિતાનો દેહ લઈને લંડન પરત જવાનું નક્કી કરી રહ્યાં હતા. પણ એમના પગ ના વળી ત્યાં એક અચાનક ફોન આવ્યો—માતાશ્રીનું DNA પણ મેચ થઇ ગયું હતું!
આંખ ભીની કરતી ઘડી, સગાં માટે આશ્વાસન
સિવિલ હોસ્પિટલના DNA કંટ્રોલ રૂમની બુલેટિન બોર્ડ પર જ્યારે 99મા ક્રમે માતાનું નામ લખેલું જોઈ, બંને પુત્રોની આંખો ભીની થયા. જીવનભર સાથે રહેનાર દંપતી મૃત્યુ બાદ પણ એકસાથે જ ઓળખાયા—જેમણે જીવંત સમયગાળામાં એકબીજાની સાથછાયા રહી, તેમ વિજ્ઞાનની પ્રક્રિયાએ પણ તેમને જુદા ન કરી શક્યા.
“ઘરે એકલા નહીં જવાનું, હું હંમેશા સાથે રહિશ”
મિતેન પટેલે એક ભાવુક જવાબ આપ્યો:
“હું માનું છું કે જયારે પપ્પાનું DNA મેચ થયું ત્યારે મમ્મીનું આત્મા એમને કહ્યું હશે કે – અશોક, ઘેર એકલા નહીં જવાનું. હું હંમેશાની જેમ સાથે જ રહીશ.”
એમણે ઉમેર્યું કે, “આ ઘટનાએ અમારી દુનિયા હલાવી નાખી છે. દુઃખ સહન કરવું મુશ્કેલ છે, પણ અમારાં માતા-પિતા હવે યાદોમાં જ નહીં, દિલમાં હંમેશાં જીવંત રહેશે.”
સરકાર અને તંત્રનો સહકાર નોંધપાત્ર
મિતેન અને હેમેને ગુજરાત સરકાર, સિવિલ હોસ્પિટલ અને ફોરેન્સિક ટીમનો ખાસ આભાર માન્યો, જેમના સહયોગથી પાર્થિવ દેહની ઓળખ સરળતાથી થઈ. બંને ભાઈઓ પોતાના માતા-પિતાને એકસાથે અંતિમ વિદાય આપવા હવે લંડન જવા તૈયાર છે, જ્યાં પરિવારજનો તેમના અગ્નિસંસ્કાર માટે રાહ જોઈ રહ્યા છે.
આ કિસ્સો માત્ર એક દુર્ઘટનાનું વિસ્મયજનક સંયોગ નથી, પણ જીવન અને મૃત્યુ વચ્ચેના પ્રેમ અને સંબંધના અખંડતાનું જીવંત દસ્તાવેજ છે. જયાં વિજ્ઞાન, ભક્તિ અને સંબંધ એકબીજાને સ્પર્શતા જોવા મળે છે.