Ahmedabad Plane Crash: મૃત્યુ પામેલા કમલેશભાઈ-ધાપુબેન ચૌધરીના અંતિમ વિદાયમાં હજારો લોકોએ આપી શ્રદ્ધાંજલિ
Ahmedabad Plane Crash: અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં દુર્ઘટના થતા બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામના દંપતીનું દુઃખદ મોત નિપજ્યું હતું. કમલેશભાઈ ચૌધરી તથા ધાપુબેન ચૌધરીના DNA મેચ થયા બાદ તેમના મૃતદેહ થાવર ગામમાં લાવવામાં આવ્યા. પરિવારજનો અને ગ્રામજનો દ્વારા બંને પતિ-પત્નીને અંતિમ વિદાય આપવામાં આવી.
હજારો લોકો જોડાયા અંતિમ યાત્રામાં
સવારથી જ વરસતા વરસાદમાં ગ્રામજનો અને પરિવારજનો સહિત ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પ્રાંત અધિકારી તથા અન્ય રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા. દંપતીના પાર્થિવ દેહના અંતિમ દર્શનમાં ગામ આખું શોકમાં ગરકાવ થઈ ગયું હતું.
લંડનમાં પ્રથમ પ્રવાસ દુઃખાંતમાં ફેરવાયો
કમલેશભાઈ ચૌધરી લંડનમાં અભ્યાસ સાથે કાપડનો વ્યવસાય કરતા હતા. લગ્ન બાદ પ્રથમ વખત પત્ની ધાપુબેન ચૌધરીને સાથે લઈ લંડન જઇ રહ્યા હતા ત્યારે અમદાવાદમાં વિમાન દુર્ઘટના બનતાં બંનેએ જીવ ગુમાવ્યા હતા.
પરિવારજનો માટે સંવેદનાઓનો વરસાદ
વિમાન દુર્ઘટના બાદ તેમના મૃતદેહોની DNA તપાસ કરવામાં આવી. થાવર ગામમાં વિદાય સમયે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તથા નાયબ કલેક્ટર સહિત અનેક અગ્રણીઓએ હાજરી આપી પરિવારજનોને સાંત્વના આપી હતી. આખું ગામ દંપતીની યાદમાં આંસુભર્યું બન્યું હતું.