Ahmedabad Plane Crash Atulya Hostel : કાટમાળમાંથી લાશો ભેગી કરવાની મુશ્કેલી
Ahmedabad Plane Crash Atulya Hostel : અમદાવાદમાં થયેલા દુર્ઘટનામાં એર ઇન્ડિયાનું વિમાન અતુલ્ય હોસ્ટેલના ચાર બિલ્ડીંગ પર પડ્યું હતું, જ્યાં 50 થી 60 ઈન્ટર્ન ડોક્ટર રહેતા હતા. આ દુર્ઘટનામાં તમામ ઈન્ટર્ન ડોક્ટર મોતને ભેટ્યા છે. ઘટનાસ્થળે હાજર નર્સે જણાવ્યું હતું કે આ હોસ્ટેલમાં રેસિડેન્ટ ડોક્ટરો રહેતા હતા અને વિમાન બિલ્ડીંગ પર પડ્યું છે…
અતુલ્ય 1, 2, 3 અને 4 બિલ્ડીંગ્સના રેસિડેન્ટ ડોક્ટરોના હોસ્ટેલ પર વિમાન પડી ગયું હતું. વિમાનમાં સવાર તમામ મુસાફરો, આ બિલ્ડીંગમાં રહેલા રેસિડેન્ટ ડોક્ટરો સહિતના લોકો આ વિમાન ક્રેશમાં મૃત્યુ પામ્યા છે.
જ્યારે ભયંકર આગ લાગતાં, વિમાનની અસરથી કાટમાળ અને શરીરના ટુકડા અલગ-અલગ પડેલા હતા. આ ઘટના બાદ સ્થળ પર બહુ ભયંકર પરિસ્થિતિ હતી, અને કોઈને ક્યાંથી આરંભ કરવું તે સમજાતું નહોતું. એમ્બ્યુલન્સ જ્યારે સ્થળ પર પહોંચી, ત્યારે કાટમાળ વચ્ચે ઘણા ઈન્ટર્ન ડોક્ટરોના મૃતદેહોનાં ટુકડા અલગ થઈ ગયા હતા.
લાશો ઢાંકવા માટે સફેદ કપડાં ન મળતા, આસપાસની મહિલાઓએ પોતાની સાડીઓ આપી. સ્ટ્રેચર્સની અછતને કારણે, લાશના ટુકડા ભેગા કરવાનો કામ વધુ મુશ્કેલ બન્યો હતો. ત્યાં સુધી, પ્રાઈવેટ એમ્બ્યુલન્સ પણ ઉપયોગમાં લાવવી પડી. ફાયરની ગાડીઓ પણ આગને કાબૂમાં મેળવવામાં નાકામ રહી હતી, અને વારંવાર પાણી લેવા જવું પડતું હતું.