Ahmedabad Plane Crash Live: CM ભૂપેન્દ્ર પટેલે આપ્યા યુદ્ધના ધોરણે રાહત કાર્યના આદેશ, અમિત શાહે આપ્યું કેન્દ્રથી સહાયનું આશ્વાસન
Ahmedabad Plane Crash અમદાવાદ, 12 જૂન – આજે બપોરે ગુજરાતના અમદાવાદમાં એક હ્રદયવિદારી દુર્ઘટના ઘટી છે. એર ઇન્ડિયાનું લંડન જતું પેસેન્જર વિમાન ટેક-ઓફ દરમિયાન તૂટી પડ્યું છે. દુર્ઘટનાની સાથે જ ઘટનાસ્થળ પરથી ઘનઘોર કાળો ધુમાડો આકાશમાં છવાઈ ગયો હતો અને આસપાસના વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. આ વિમાનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા તે ગંભીર માહિતી બહાર આવી રહી છે.
મૂખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુર્ઘટનાની જાણ થતા જ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવાની સુચના આપી છે. મુખ્ય સચિવ પંકજ જોશી અને અન્ય વરિષ્ઠ સચિવોને ફોન પર ગ્રીન કોરિડોર અને તાત્કાલિક સારવારની સુવિધાઓ સક્રિય કરવા આદેશ આપ્યો છે.
#WATCH | Smoke seen emanating from the site of the Air India plane crash in Gujarat's Ahmedabad pic.twitter.com/CiXx7l0HVv
— ANI (@ANI) June 12, 2025
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રીએ વાત કરી અને NDRFની ટીમો મોકલવા ઉપરાંત કેન્દ્ર તરફથી શક્ય તમામ સહાય ઉપલબ્ધ કરાવાની ખાતરી આપી છે.
ઘટના સ્થળે લોકોમાં ભય અને અરાજકતાનો માહોલ છે. વિમાન તૂટી પડતાં તેની આસપાસની ઇમારતોને પણ નુકસાન થયું છે. અગ્નિશામક દળ આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલની તમામ ડોક્ટરોની રજા રદ કરીને ઈજાગ્રસ્તો માટે તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરાઈ છે.
અત્યાર સુધી મળેલી માહિતી મુજબ વિમાનમાં લગભગ 133થી વધુ મુસાફરો અને ક્રૂ મેમ્બરો હતા. દુર્ઘટનાનું સચોટ કારણ હજી બહાર આવ્યું નથી.