Ahmedabad Plane Crash Portuguese Victims : એક જ ગામના 9 પોર્ટુગીઝ મૂળના લોકોના મૃત્યુથી દીવ શોકસાગરમાં
Ahmedabad Plane Crash Portuguese Victims : ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ન થયેલી ભયાનક વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને શોકમગ્ન કરી દીધો. અમદાવાદમાં થયેલી આ વિમાન દુર્ઘટનામાં ભારતીયો સાથે-સાથે વિદેશી નાગરિકોના મૃત્યુ પણ નોંધાયા હતા. ખાસ કરીને 7 પોર્ટુગીઝ નાગરિકોના અવસાન પાછળની હકીકત જાણીને દરેકનું મન દ્રવી ઊઠે છે.
આ દુર્ઘટનામાં મોતને ભેટેલા તમામ પોર્ટુગીઝ નાગરિકો મૂળ ભારતના દીવ ટાપુના રહેવાસી હતા. તેઓ વર્ષો પહેલાં યુરોપ સ્થાયી થયા બાદ પણ પોતાના મૂળ સાથે જોડાયેલા રહેવા દર બે વર્ષમાં ભારત આવતા હતા. આ વખતે પણ તેઓ પોતાના પરિવારજનોને મળવા દીવ આવ્યા હતા અને ત્યાંથી પરત જતા Ahmedabad International Airportથી વિમાનમાં સવાર થયા હતા — પણ ઘરે પાછા ફરી ન શક્યા.
એક જ ગામના 9 લોકોના તાબૂત આવ્યા
દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પોર્ટુગીઝ અને બ્રિટિશ નાગરિકોમાંથી 14 લોકો દીવના રહેવાસી હતા. જેમાથી માત્ર એક વ્યક્તિયે જીવ બચાવ્યો. આ તમામ મૃતકોમાંના નવ લોકો એક જ ગામ — બુચરવાડા —ના હતા. ગામના લોકોએ એકસાથે નવ મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યાં. ગામના પંચાયત સભ્ય દિનેશ ભાનુભાઈએ જણાવ્યું હતું કે દીવના ઘણા યુવાનો વિદેશમાં નોકરી કે વ્યવસાય માટે ગયા છે, પણ વારંવાર વડીલોને મળવા અને તહેવારોમાં ભાગ લેવા ભારત આવે છે.
આ ઘટનાએ અનેક વિદેશસ્થ ભારતીયો માટે પ્રશ્ન ઉભો કર્યો છે — શું આવા પ્રવાસો માટે પૂરતી સુરક્ષા સુવિધાઓ ઉપલબ્ધ છે? દીવ જેવા વિસ્તારમાંથી જોડાયેલા લોકોએ પોતાનું મૂળ છોડી દીધું નથી, પણ આ ઘટના પછી ઘણાએ ભારત આવવા વિશે પુનર્વિચાર શરૂ કર્યો છે.
એકમાત્ર જીવિત બચેલા વિશ્વાસ કુમારની કહાની
આ વિમાન દુર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ બચી ગયો — વિશ્વાસ કુમાર રમેશ. દીવમાં રહેતા તેમના પરિવારજનો આ દુર્ઘટનામાં સદભાગ્યે બચી ગયા છે. વિશ્વાસ પણ પોતાના પરિવારને મળવા માટે દીવ આવ્યા હતા. તેમનું બચાવ એક અજાયબી સમાન માનવામાં આવી રહ્યું છે.
274 મોત અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીનો અંત
સત્તાવાર આંકડા પ્રમાણે આ દુર્ઘટનામાં કુલ 274 લોકોના મૃત્યુ થયા હતા. તેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ અને 7 પોર્ટુગીઝ નાગરિકોનો સમાવેશ થાય છે. દુર્ઘટના એટલી ભયાનક હતી કે તે ફક્ત વિમાની અંદર જ નહીં, પણ જમીન પર ઈમારત અને આસપાસના લોકો માટે પણ વિનાશ લઈને આવી. દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયું.