Ahmedabad plane crash survivor: ઈમારતો વચ્ચેની નરમ માટી બની વિશ્વાસના જીવનું રક્ષણ
Ahmedabad plane crash survivor: એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171નું અમૂલ્ય જીવન નષ્ટ કરનાર ભયાનક વિમાન દુર્ઘટનામાં, જ્યાં 242 પેસેન્જરમાંથી માત્ર એક જીવ બચી શક્યો – વિશ્વાસ કુમાર રમેશ. દુર્ઘટનાની સ્થળની વિગતો અને વિશ્વાસના ચમત્કારિક બચાવને લઈને હવે નવી થિયરી સામે આવી છે.
વિશ્વાસ કુમાર રમેશ વિમાનમાં સીટ નંબર 11A પર બેઠેલા હતા. થોડા જ મિનિટોમાં બોઇંગ 787 ડ્રિમલાઇનર ટેકઓફ પછી દુર્ઘટનાગ્રસ્ત થયું. મળતી માહિતી અનુસાર વિમાન જ્યારે પડ્યું, ત્યારે તે બે ઇમારતો વચ્ચે એક સાંકડી જગ્યા પર ધસડી ગયું. આ જગ્યા પર બહુ નરમ, ભીની માટી હતી – જેને કારણે વિશ્વાસનો જીવ બચી ગયો.
નરમ માટી – જીવ બચાવવાનો મુખ્ય કારણ?
વિમાન જ્યારે પછડાયું ત્યારે એ ભીની માટીથી ભરેલા ઢગલાને અડકી ગયું હતું. દુનિયા માટે માત્ર એક જીવ બચવો ચમત્કાર હતો, પણ નિષ્ણાતોના મત પ્રમાણે જો વિમાન પડતાની સાથે જ વિસ્ફોટ થયો હોત, તો વિશ્વાસ માટે બચાવ અશક્ય બનતો. નરમ માટી અને ઇમારતોની વચ્ચે ઊંડાણવાળી જગ્યા તેમનું રક્ષણ બની ગઈ.
દુર્ઘટનાથી જીવતો નીકળ્યો – વિડિયોમાં દેખાયો ચમત્કાર
સામાજિક મિડિયા પર વાયરલ થયેલા વિડિયોમાં વિશ્વાસ કુમાર રમેશ ધીમે ધીમે ધૂળ અને ધુમાડામાંથી બહાર નીકળતા જોવા મળે છે. જે સમયે બીજા લોકોના જીવન થંભી ગયા હતા, એ સમયે વિશ્વાસ હાથમાં ઈજાઓ સાથે જીવતો બહાર આવ્યો હતો – જેને લીધે સમગ્ર દેશ ચકિત છે.
નિષ્ણાતોની પ્રાથમિક થિયરી શું કહે છે?
વિમાન ક્રેશ પછી વિમાની અંદર તરત જ આગ લાગી ન જતાં વિશ્વાસને બહાર નીકળવાનો સમય મળ્યો. જેમ જેમ તપાસ આગળ વધી રહી છે, તેમ તેમ વિશ્વાસના બચાવ પાછળનું “ભૌગોલિક સ્થાન”, માટીનો પ્રકાર અને વિમાનની અવસ્થાની સમજૂતી વધુ સ્પષ્ટ બની રહી છે.