અમદાવાદમાં અન્ય લોકો વસતા આજે બમણા ભાડા આપીને પોતાના વતન તરફ વળી રહ્યાં છે
કોરોનાના કેસમાં ઘટાડો થતા જ સાથે બે વર્ષ બાદ દિવાળીના તહેવાની રોનક જાણે કોરોના જતો રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.લોકો દિવાળીની ઉજવણી કરવા માટે પોતાના વતન તરફ જઈ રહ્યા છે.અમદાવાદથી જૂનાગઢ,ભાવનગર,જામનગર,સોમનાથ જતી બસોનો ભાડામાં ચાર ગણો વધારો જોવા મળ્યો છે.સામાન્ય દિવસોમાં અમદાવાદ થી રાજકોટ જતી બસનું ભાડું 400 થી 500 હોય છે પણ દિવાળીના તહેવાર દરમિયાન લોકો પાસેથી બેફામ ભાડું વસુલવામાં આવી રહ્યા છે હાલમાં બમણું ભાડું 1000 રૂપિયા કરી દેવામાં આવ્યું છે.આવી જ સ્થિતિ ભાવનગરની છે જ્યાંનું બસ ભાડું રૂપિયા 1500ની નજીક છે જયારે સામાન્ય દિવસોમાં 500રૂપિયા ભાડું હોય છે.
અમદાવાદની ટ્રેનો ઓછી દોડતી હોવાથી અન્ય રાજ્યોની બસોમાં ઘસારો જોવા મળ્યો છે.અમદાવાદ થી મુંબઈનું બસનું ભાડું આશરે રૂપિયા 2500 ,નાશિકનુ બસનું ભાડું રૂપિયા 2200,ઉજ્જૈનનું ભાડું રૂપિયા 1000 અને જયારે ઉદયપુરનું ભાડું રૂપિયા 3000ને પાર કરી ગયું છે.આ વિષે પ્રાયવેટ બસના ઓપરેટરે જણાવ્યું કે ગયા વર્ષે કોરોના મહામારીના કારણે બસનું બુકિંગ ઓછું હતું આ વર્ષે બુકિંગમાં વધારો જોવા મળ્યો છે.ગુરુવારે દિવાળી હોવાથી મોટાભાગના પરિવારોએ રવિવારની રજાનો લાભ ઉઠાવીને વતન ખખડાવ્યું હતું. શહેરના પ્રવેશદ્વાર પર પણ મોટી સંખ્યામાં લોકો બસની રાહ જોતા જોવા મળ્યા હતા. લક્ઝરી સહિતના ખાનગી વાહનો પણ મોટી સંખ્યામાં ખીચોખીચ ભરાયા હતા. અમદાવાદથી શનિવારે નિયમિત બસો ઉપરાંત 30 વધારાની બસો દોડાવવામાં આવી હતી.
લોકો વધારે ભાડું ચૂકવીને ટિકિટો ખરીદી રહ્યા છે અમદાવાદથી એસ.ટી.બસો દાહોદ,ગોધરા,ઝાલોદ,અને સૌરાષ્ટ માટે દોડાવશે.ગીતામંદિર,રાણીપ,બાપુનગર જેવા અનેક વિસ્તારની એસ.ટી.બસોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળશે.શનિવારે પણ અમદાવાદની બસોમાં વધારો જોવા મળ્યો છે એક દિવસમાં જ 60 હજારથી વધુ ટિકિટ બુકિંગ કરાઈ છે.કુલ 1.15 કરોડ રૂપિયાની આવક નિગમને એક જ દિવસમાં જોવા મળી છે.20 હજાર બુકિંગ કાઉન્ટર ઓફિસથી કરવામાં આવ્યું હતું.તેની સામે ગત વર્ષે કોરોનાના કારણે 66.42 લાખની જ આવક હતી આ વર્ષે વધારો જોવા મળ્યો છે.અમદાવાદના ગીતામંદિરે દરેક એસ.ટી.બસોમાં લોકો સીટ મેળવવા ફાંફા મારી રહ્યાં છે લોકો માલસામાન લઈને દોડી રહ્યા અને પૂછપરછ બારીમાં પણ ઉમટી પડ્યા છે.