અમદાવાદ માં અનાજ માફિયા મોટા માંગી તેનો દીકરો રાજુ અને મદન ને જવાબદારો છાવરી રહયા હોય તેવું ચિત્ર સપાટી ઉપર આવી રહ્યું છે. અમદાવાદ માં ગરીબો નું અનાજ સગેવગે કરવામાં જેની સામે આંગળીઓ ચીંધાઈ રહી છે તે
મોટા માંગી નો કોન્ટ્રાકટ જ વારંવાર કેમ રીન્યુ કરવામાં આવી રહ્યો છે તે પણ એક સવાલ છે.
1 વર્ષ જેટલો સમય વીત્યો આ જ અનાજ માફિયા મોટા માંગી ને અનાજ ના કાળા કારોબારમાં પાસા કરાઈ હોવાની વાતો વચ્ચે હજુપણ તેનોજ સિક્કો ચાલી રહ્યો છે.
FCI વિભાગ પણ હવે શંકા ના ઘેરા માં આવી ગયો છે, છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં આ ગરીબોને મળતા અનાજ ના કાળા બજારીયા તત્વો એટલી હદે બેફામ બન્યા છે કે ગરીબો માટે આવતું અનાજ બારોબાર વેચી મારવાનું કામ કરી રહ્યા છે.
અહીં વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં આવેલ રેશનિંગ ની દુકાનોના માલિકો ને આપવામાં આવતું અનાજ કોન્ટ્રાકટર બડે માંગી અને તેનો દીકરો મદન દ્વારા FCI ના અધિકારીઓ સાથે ઘરોબો રાખી FCI દ્વારા આપવામાં આવતો અનાજ નો જથ્થો બારોબાર સાણંદ,નરોડા જીઆઇડીસી સહિતની રાઈસ મિલ માં મોકલી દેવાનું કૌભાંડ કરી રહ્યા છે.જેનો મોટો પુરાવો સત્યડે ની ટીમે જાતેજ કરેલું ઇન્વેસ્ટિગેશન છે. અમદાવાદના શાહીબાગ FCI થી અનાજ ભરી કોન્ટ્રકર બડે માંગી અને મદન ની ગાડી સી.ટી.એમ. વિસ્તારમાં આવેલ અશોક ગુપ્તાને ત્યાં પહોંચી ત્યારે સત્ય ડે ન્યૂઝની ટીમ દ્વારા રોકવામાં આવતા બાપ દીકરાની જોડીએ દાદાગીરી કરી ગાડી હંકારી મૂકી હતી અને ત્યારબાદ સત્ય ડે ન્યૂઝની ટીમ દ્વારા અન્ન નાગરિક પુરવઠા ના અધિકારીઓને બોલાવી દુકાન ખોલાવતા અનાજ નો જથ્થો જરૂરિયાત કરતા વધુ મળી આવતા દુકાન માલિક ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ દુકાન હાલમાં પણ ચાલુ જ છે તેવું સ્થાનિકો દ્વારા સત્ય ડે ન્યૂઝ ની ટીમ ને જણાવવા માં આવેલ છે.
કોન્ટ્રાકટર ની ગાડી બડે માંગી અને મદન ની હોવા છતાં પણ અન્ન નાગરિક પુરવઠાના અધિકારી દ્વારા બડે માંગી અને મદન ઉપર કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા અન્ન નાગરિક પુરવઠા ના અધિકારીઓ ઉપર પણ સવાલો ઉભા થવા પામ્યા છે. રેશનિંગ ની દુકાન ચલાવતા માલિકો ઉપર ગુજરાત નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી આ વેપારીઓને કોઈપણ જાતનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે.
મીડિયા ની ટીમ જ્યારે જવાબદારો ને બોલાવે ત્યારે તેઓ પરાણે આવવું પડે છે પણ પછી તેના અસરકારક પગલાં ભરવામાં નહિ આવતા આ કૌભાંડ બિન્દાસ ચાલતું રહે છે અને ગરીબો ના નામે કૌભાંડીયાઓ કરોડપતિ બનતા જઈ રહયા છે.
અમદાવાદ માં મોટાપાયે સરકારી અનાજ માફિયાઓ એ આખું તંત્ર જ જાણે ખરીદી લીધું હોય તેવી હવા કરી રહયા છે ત્યારે બડે માંગી અને મદન સામે ઘૂંટણીયે પડી ગયેલા જવાબદારો ના ઉપરી અધિકારીઓ આ મામલે તપાસ કરે તો મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા વ્યક્ત કરાઇ રહી છે.