ગુજરાત રાજ્યમાં દારૂબંધી ને લઈ અનેક દાવા કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી દ્વારા ગુજરાત રાજ્યના ડી.જી.પી.અને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર ને આદેશ આપવામાં આવ્યા છે કે જે ખૂણે દારૂ અને જુગારની ગેરપ્રવૃત્તિ ચાલતી હોય તે તાત્કાલિક અસર થી નાબૂદ કરવી અને ગુનેગારો ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવી.પરંતુ અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદ પોલીસ કમિશ્નર ની એક અલગ ટીમ બનાવવામાં આવી છે જે પી.સી.બી. ની ટીમ છે તે આખા અમદાવાદના ખૂણે જઈ દારૂ જુગાર બંધ કરાવી શકે છે પરંતુ અહીં અમદાવાદ શહેરની વાસ્તવિકતા જ કંઈક અલગ જોવા મળી રહી છે.
અહીં આજે વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના ઇસનપુર વિસ્તારની કે જ્યાં હવે બની ગયું છે દારૂ જુગારનું હબ સેન્ટર.ઇસનપુર પોલીસ સ્ટેશનના પી.આઈ.અને વહીવટદાર લાલજી દેસાઈ દ્વારા આ દેશી દારૂના અડ્ડાઓ ની પરમિશન આપવામાં આવેલી છે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.જો આવી રીતે ખુલ્લેઆમ દેશી દારૂનો ધંધો અમદાવાદ શહેરના ઇસનપુર વિસ્તારમાં ચાલી રહ્યો હોય અને પોલીસ ની નજરમાં ના આવે તે વાત કેવી એ પણ સ્થાનિકો માં ચર્ચાનો વિષય બન્યું છે.ઇસનપુર પોલીસ સ્ટેશનના પી.આઈ.અને વહીવટદાર લાલજી દેસાઈ દ્વારા આ દારૂ અને જુગારના અડ્ડા ઉપર કોઈ જ પ્રકાર ની કાર્યવાહી નહીં કરતા ઇસનપુર પોલીસ સ્ટેશનના પી.આઈ.અને વહીવટદાર લાલજી દેસાઈ ઉપર પણ અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.જો ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને ગુજરાત રાજ્યના ડીજીપી દ્વારા ઉચ્ચ સ્તરે તપાસ કરવામાં આવે તો ઇસનપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. અને વહીવટદાર લાલજી દેસાઈ ની બહુ મોટી પોલ ખુલી શકે તેમ છે અને સ્થાનિકો માં એ પણ રોષ છે કે આ પોલીસ સ્ટેશનના પી.આઈ. અને વહીવટદાર લાલજી દેસાઈ ઉપર તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠવા પામી છે.
ઇસનપુર વિસ્તારમાં શરૂ થયેલા દેશી દારૂના અડ્ડા ના નામ અને સરનામની વિગત નીચે મુજબ છે :
1. રામગલીના છાપરામાં મંજુ નામની મહિલા બુટલેગર ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરે છે.
2. રામગલીની અંદર ઇસનપુર પોલીસ સ્ટેશનની પાછળના ભાગમાં દશામાતા ના મંદિરની બાજુમાં બેબી બેન નો છોકરો જયેશ ચુનારા દ્વારા ખુલ્લેઆમ દેશીદારૂ નું વેચાણ કરે છે.
3. ચંડોળા તળાવ ની પાળ સૂર્યનગર પોલીસ ચોકીની પાછળના ભાગે જતા રસ્તા ઉપર જોગણી માતાના મંદિરની બાજુવાળી ગલીમાં ખુલ્લેઆમ દેશીદારૂનું વેચાણ ચાલુ છે.
4. રામવાડી પાણીની ટાંકી પાસે રામવાડી ટેકરા ઉપર માટલાવાળા ની બાજુમાં ખુલ્લેઆમ દેશીદારૂ નું વેચાણ ચાલુ છે.