ઓમિક્રોન વેરિઅન્ટને લઈ કેન્દ્ર સરકારે 28 નવેમ્બરે આફ્રિકા, સાઉથ આફ્રિકા અને યુરોપ સહિતના હાઈ રિસ્ક દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે ફરી કડક ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી. આ ગાઇડલાઇનનો અમલ 1 ડિસેમ્બરથી કરવામાં આવી રહ્યો છે. 1 ડિસેમ્બરથી અમદાવાદ એરપોર્ટ પર 9 હજાર 800 જેટલા પ્રવાસીઓ વિદેશમાંથી આવ્યા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે આ પ્રવાસીઓ પૈકી માત્ર બે પ્રવાસીઓને કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. બંનેની હાલત સ્થિર છે, જેમનો જીનોમ્સ રિપોર્ટ આવ્યા પછી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે.
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવેલા આ પ્રવાસીઓનું કોરોનાની નવી ગાઇડલાઇન પ્રમાણે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં માત્ર 2 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે. આવેલા 955 પ્રવાસીઓ હાઇરિસ્ક દેશોમાંથી આવ્યા છે, જે તમામના રિપોર્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 2 લોકો કોરોના પોઝિટિવ છે.કોરોના પોઝિટિવ આવેલા બંને દર્દી લંડનથી આવેલા. જે પૈકી એકની સારવાર નડિયાદની કરમસદ હોસ્પિટલ જ્યારે અન્ય એક પ્રવાસીની વડોદરાની ખાનગીહોસ્પિટલમાં સારવાર થઇ રહી છે. તેમની હાલત સ્થિર છે.કેન્દ્ર સરકારે 12 જેટલા હાઇરિસ્ક દેશમાંથી આવતા પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ ફરજીયાત કર્યો છે. જ્યારે આ સિવાયના દેશમાં આવતા પ્રવાસીઓ પૈકી રેન્ડમલી કોરોના ટેસ્ટના સેમ્પલ લેવા માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત 12 દેશ સિવાયમાંથી આવેલ પ્રવાસીઓ પૈકી 145 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે તમામના પ્રવાસીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.