ગુજરાત સરકાર દ્વારા ગુજરાત નાગરિક પુરવઠા નિગમ વિભાગ અંતર્ગત રેશનિંગ ની દુકાનો ના લાઇસન્સ આપવામાં આવે છે કે જેના થકી ગરીબી રેખા હેઠળ આવતા તમામ લોકોને સસ્તા ભાવનું અનાજ મળે અને તેમની રોજી રોટી સલામતી રીતે ચાલે.પરંતુ છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં આ ગરીબોને મળતા અનાજ ના કાળા કારોબારીઓ એટલી હદે ફાટી નીકળ્યા છે કે ગરીબો માટે આવતું અનાજ બારોબાર જ વેચી મારવાનું કામ કરી રહ્યા છે.
અહીં વાત કરવામાં આવે તો અમદાવાદ ના શાહપુર,રાણીપ,વાડજ,નારણપુરા,સોલા સહિતના વિસ્તારમાં આવેલી રેશનિંગ ની દુકાનના વેપારીઓ દ્વારા રાણીપ માં રહેતા મુકેશ મહારાજ સાથે ઘરોબો રાખી નાગરિક પુરવઠા દ્વારા આપવામાં આવતો તમામ જથ્થો બારોબાર પોતાની દુકાને થી મુકેશ મહારાજ ની ગાડીમાં ભરી આપી બારોબાર વેચી મારવાનું કૌભાંડ કરી રહ્યા છે.જ્યારે ગરીબો અનાજ લેવા આવે ત્યારે આ દુકાનોના વેપારી દ્વારા અનાજ નહીં આપી ને જણાવે છે કે આ મહિને જથ્થો ઓછો આવ્યો છે તો ઓછો આપીશું તેમ કહી ગરીબોના અન્ન નો કોળિયો વેપારીઓ અને આ મુકેશ મહારાજ,સન્ની,મુકેશ જૈન અને મોન્ટુ નામના ઈસમો છીનવી રહ્યા છે.જો આ દુકાનના વેપારીઓ અને મુકેશ મહારાજ સહિતના બીજા જણાવેલ નામની વ્યક્તિઓ ઉપર ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા દ્વારા નજર રાખી અને પકડી પાડવામાં આવે તો મસ મોટું કૌભાંડ બહાર આવવાની ભીતિ સેવાઇ રહી છે.પરંતુ અહીં વિસ્તારના અનેક નાગરિકો ના મુખે સાંભળવા મળેલી માહિતી મુજબ ગુજરાત રાજ્યના નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે આ મુકેશ મહારાજ નામના ઇસમે એટલી હદે ઘરોબો બનાવી દીધો છે કે નાગરિક પુરવઠા વિભાગ ના અધિકારીઓ અને કર્મચારીઓ પણ તેના ઉપર કાર્યવાહી કરવામાં ખચકાટ અનુભવી રહ્યા છે.જો આવા અધિકારીઓ અને મુકેશ મહારાજ તથા દુકાનના વેપારીઓ ઉપર વિજિલન્સ તપાસ બેસાડવામાં આવે તો બહુ જ મોટા પાયે કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ રહેલી છે અને ગરીબો ને ન્યાય મળે તેવું છે.
5
/ 100
SEO સ્કોર