અમદાવાદ: ગુજરાતના વાતાવરણમાંફરી પલટો આવવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં શિયાળામાં ફરી માવઠું થવાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરના રોજ કમોસમી વરસાદની શકયતા છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરના રોજ કમોસમી વરસાદની શકયતા છે. જેમા 30 નવેમ્બરના ભરૂચ, સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, દિવમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાનું અનુમાન કરવામા આવ્યુ છે. જ્યારે, 1 ડિસેમ્બરના રોજ પોરબંદર, રાજકોટ, જૂનાગઢ,અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, આણંદ, અમદાવાદ, ખેડા, મહિસાગર, દાહોદ, પંચમહાલમા કમોસમી વરસદની શક્યતા છે. જયારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સિવાય રાજ્યના બાકીના ભાગોમાં છૂટા છવાયા વરસાદની શક્યતા નહિવત છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની સાથે તાપમાનનો પારો પણ ગગડવાની પ્રબળ શક્યતા છે. પવનની દિશા બદલાતા ઠંડીનો ચમકારો પણ અનુભવી શકાશે. હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. વહેલી સવાર અને મોડી રાત્રે ઠંડી તેમજ દિવસભર તાપમાન રહેતા લોકો ગરમીનો અનુભવ પણ કરી રહ્યા છે.રાજ્યમાં આગામી 48 કલાક લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી. આ પછી બે દિવસ દરમિયાન તાપમાન 2થી 4 ડિગ્રી સુધી વધતાં ઠંડીમાં ઘટાડો અનુભવાશે. ગત રાત્રિએ 14 ડિગ્રી સાથે નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 35.5 જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન 16.1 ડિગ્રી નોંધાયું હતું. આમ, અમદાવાદમાં હાલ દિવસે ગરમી-રાત્રે ઠંડીના ચમકારાથી ડબલ સિઝન અનુભવાઇ રહી છે. વડોદરામાં 17, રાજકોટમાં 17.5, ભાવનગરમાં 18.5, સુરતમાં 20 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.