કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંકે છેલ્લા 41 દિવસ માં 36 વખત નિયમ બદલી ને લોકો ને હેરાન પરેશાન કરી મુક્યાં હોવાનું ચિત્ર સપાટી ઉપર આવી રહ્યું છે.
સોમવારે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્ક દ્વારા વધુ એક ફતવો બહાર પાડવામાં આવ્યો છે કે મંગળવાર થી તા.30 સુધી કોઈપણ વ્યક્તિને પોતાના ખાતા માં રૂ.5000 થી વધારા ની રદ થયેલી રૂ.1000 અને 500 ની નોટ એકજ વખત જમા કરાવી શકશે. ઉપરાંત રૂ.5000 થી વધુ જમા કરાવનાર ને અત્યાર સુધી કેમ જમા કેમ નઇ કરાવ્યા વગેરે ખુલાસા કરવા પડશે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે રદ થયેલી ગમેતેટલી નોટો 30 ડીસેમ્બર સુધી સુધી ભરી શકાશે તેવી જાહેરાત બાદ નવો ફતવો બહાર પાડતા લોકો માં સરકાર તરફી નારાજગી જોવા મળી રહી છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.