રાજ્યભર માં આઇટી વિભાગે હાથ ધારેલી સર્ચ ની કામગીરી માં મોટી માત્ર માં બિનહિસાબી નાણું મળવાની શક્યતા વ્યક્ત થઇ રહી છે અમદાવાદ માં પણ સર્ચ ની કામગીરી હાથ ધરાઈ છે,આવકવેરા વિભાગે, માણેકચોકમાં આવેલ જ્વેલર્સ પર પાડેલા દરોડામાં રૂ.33 લાખ, 50 હજારની જૂની અને નવી કરન્સી મળી છે. આ દરોડામાં જ્વેલર્સે કરેલું અઢી કિલો સોનાનું બિનહિસાબી વેચાણ ઝડપાયું છે, જેની કિંમત રૂ. 80 લાખ જેટલી અંદાજવામાં આવે છે તેમજ રૂ. 85 લાખની ચાંદીનો સ્ટોક તફાવત પણ જોવા મળ્યો હતો.
આઈટી વિભાગે, માણેકચોકની વાસુપૂજ્ય ઓર્નામેન્ટની બે દુકાનો પર સોમવારે મોડી રાતથી દરોડા અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ જ્વેલર્સના ધંધાકીય સ્થળે પાડેલા દરોડામાં રૂ. 33 લાખ, 50 હજારની રોકડ મળી આવી છે. જેમાં રૂ.20 લાખ, 50 હજારની નવી કરન્સી એટલેકે રૂ. 2 હજારની નવી ચલણી નોટો અને રૂ. 13 લાખની જૂની કરન્સી નોટોનો સમાવેશ થાય છે.
આઈટી અધિકારીઓએ હાથ ધરેલ સર્ચમાં મહત્ત્વના અને વાંધાજનક દસ્તાવેજો મળ્યા છે અને તેની ચકાસણી કરાતાં પ્રાથમિક અંદાજ મુજબ રૂ. 85 લાખની ચાંદીનો સ્ટોક તફાવત જોવા મળ્યો છે. જ્યારે આવકવેરા અધિકારીઓને અંદાજે રૂ. 80 લાખથી વધુ કિંમતના 2.5 કિલો બિનહિસાબી સોનાનું વેચાણ કરાયું હોવાનું પણ જોવા મળ્યું છે. આ જ્વેલર્સે, અઢી કિલો સોનું કોની પાસેથી ખરીદ્યું હતું, આ કોને વેચ્યું છે. અઢી કિલો સોનાના ખરીદ-વેચાણના પક્ષકારો સુધી તપાસનો રેલો પહોંચે તેવી શક્યતા છે.
આઈટી સર્ચમાં વાસુપૂજ્ય ઓર્નામેન્ટના સંચાલકોની સેટેલાઈટમાં આવેલ એક બંધ દુકાનમાંથી રૂ.30 લાખ રોકડા મળી આવ્યા છે અને માણેકચોકમાં આવેલી તેમની દુકાનમાંથી રૂ. 3.50 લાખ કેશ મળી છે.
આમ, ઠેરઠેર દરોડા ની કામગીરી શરૂ રહેવા પામી છે,જેને લઇ કાળા નાણાં ધરાવતા લોકો માં ભારે ગભરાટ ફેલાયો છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.