અમદાવાદમાં ટ્રાફિક સમસ્યાથી તો લોકો હેરાન પરેશાન રહેતા હોય છે. એમાંય કોઈનેનોકરીએ પહોંચવું પડતું હોય તેવાં લોકો જ્યારે ટ્રાફિકમાં અટવાય ત્યારે તો નોકરીયાત વર્ગ પર શું વિતતી હશે તે તો ખરેખર તે લોકો જ જાણે. ત્યારે અમદાવાદમાં સૌ કોઇને ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મળે તે હેતુસર 1લી નવેમ્બરના રોજ શહેરમાં ગોતાથી સોલા ફ્લાયઓવર બ્રિજને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો.નાગરિકોને દિવાળીની ભેટ આપવામાં આવી હતી. સરખેજ – ગાંધીનગર ચિલોડા નેશનલ હાઈવેના 44 કિ.મી લાંબા માર્ગ પરનો વધુ એક ફ્લાય ઓવર બ્રિજ ખુલ્લો મુકાયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગોતા ફ્લાયઓવરથી સોલા સાયન્સ સિટી ફ્લાયઓવર સુધીના એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ કરાયું હતું. પરંતુ આજના દ્રશ્યો જોતા એવું લાગી રહ્યું છે કે, હજુ પણ અમદાવાદીઓને ટ્રાફિકમાંથી મુક્તિ આપવા બાકી રહેલા કામને જલ્દીમાં જલ્દી પૂર્ણ કરવું જરૂરી છે.
બુધવારે સવારે અમદાવાદના SG હાઇવે પર ગોતાથી સોલા ફ્લાયઓવર સુધી 5 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો. સોલા ROB ની કામગીરીના પગલે 4.5km નું નજીવું અંતર કાપતા 40 મિનિટનો સમય લાગી રહ્યો છે. આ ટ્રાફિક જામમાં સેંકડો વાહનો અટવાય છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, આખરે તંત્ર સોલા ROB ની કામગીરીને કેટલાં સમયમાં પૂર્ણ કરે છે. નહીં તો જો આવું ને આવું ધીમું કામકાજ ચાલતું રહેશે તો અમિત શાહ દ્વારા ખુલ્લો મુકાયેલો ગોતાથી સોલા ફ્લાયઓવર બ્રિજ માત્ર દેખાવ પૂરતો જ રહેશે. કારણ કે બ્રિજ તૈયાર કર્યા બાદ પણ જો ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય તો પછી તેનો અર્થ શું?1લી નવેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અમદાવાદીઓને ગિફ્ટ આપવામાં આવી હતી. એટલે કે, શહેરના સોલા ઓવરબ્રિજથી ગોતા સુધીના એલિવેટેડ કોરિડોરનું આજે અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદી પણ હાજર રહ્યાં હતાં.