દેશ ને કેશલેશ તરફ આગળ વધારવાના વધુ એક કદમ માં સરકારે કેશલેસ ઈકોનોમીની દિશામાં બુધવારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો.કર્મચારીને સેલેરી ચેક કે ઈ-પેમેન્ટ માધ્યમથી પગાર ચૂકવવાના વટહુકમને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી હતી.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે,જનતાને રોકડ નથી મળી રહી ત્યારે સરકારે પગારની ચૂકવણી માટે સેલેરી પેમેન્ટ ઓફ વેજ એક્ટ 1936માં સુધારો કરવા માટે વટહુકમ લાવવાનો નિર્ણય કર્યો છે.
જે મુજબ ઉદ્યોગોએ ચેક અથવા ઈલેક્ટ્રોનિક મોડથી કર્મચારીને ચૂકવણું કરવાનું રહેશે.
તા.15મી ડિસેમ્બરે સંસદમાં આ મતલબનું બિલ રજૂ થયું હતું. કેન્દ્રીય શ્રમપ્રધાન બંગારુ દત્તાત્રેયે આ બિલ લોકસભામાં રજૂ કર્યું હતું.
બિલમાં એવું કહેવામાં આવ્યું છે કે,નવી પ્રક્રિયાથી ડિજિટલ અને લેશ કેસ ઈકોનોમીનો હેતુ સિદ્ધ થશે.
આ બિલને સંસદના બજેટ સત્રના પ્રથમ ભાગમાં રજૂ કરી શકાયું હોત.પરંતુ સરકારે બે મહિના રાહ નહોતી જોવી એટલે વટહુકમ લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો.
સરકારની ગણતરી બાદમાં તેને સંસદમાં પસાર કરાવી લેવાની છે.
ઉલ્લેખનીય છે કે,જો સરકાર કોઈ કાયદો લાગુ કરવા ઈચ્છતી હોય અને તેને સંસદની મંજૂરી ન મળી હોય તો વટહુકમ લાવવો પડે.
રાષ્ટ્રપતિની સહીથી વટહુકમ છ મહિના માટે માન્ય રહે.જેને ફરી લાવી શકાય.આ દરમિયાન સરકારે સંસદમાં કાયદો પસાર કરાવવાનો રહે છે.
ડીજીટલ કેશલેશ સિસ્ટમ ને પગલે લોકો માં એક નવા અનુભવ માંથી પસાર થઈ રહ્યા ની લાગણી અનુભવાઈ રહી છે અને મિશ્ર પ્રતિભવો જોવા મળી રહ્યા છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.