એએમસીએ લોકડાઉન દરમિયાન સંજીવની કીટ લોકોને વહેંચી હતી. જેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ આરટીઆઇ એક્ટીવીસ્ટ કરી રહ્યા છે. તેઓનું કહેવુ છેકે તેઓએ યુસીડી વિભાગમા સંજીવની કીટ કેટલી વહેંચવામા આવી અને ક્યા વહેંચવામા આવી તે અંગે માહીતી માંગી હતી. પરંતુ તેમા રેકર્ડ નહી હોવોનુ કહેવામા આવ્યુ છે. યુસીડી ખાતા દ્વારા કીટ તૈયાર કરવામા આવી હતી. પરંતુ વહેંચણી હેલ્થ ખાતાએ કરી હોવાનું યુસીડીની આરટીઆઇમાં કહેવામા આવ્યુ છે.કોરોનાનાની મહામારીમાં કોર્પોરેશનના યુસીડી ખાતાએ સંજીવની કીટી બનાવી હતી. કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામા આવેલી સંજીવની કીટમાં ૪ સાબુ, ૪ માસ્ક હોમિયોપેથી ઇમ્યુનિટી ગોળી, ૫૬ નંગ તથા કોરોના મહામારી સામે કઈ રીતે લડી શકાય તેવું પેમ્પલેટ હતુ. આ સંપૂર્ણ વસ્તુઓને ભેગી કરી અને કિટ બનાવવામાં આવી હતી. આ કીટની વહેચણીની વિવિધ કાર્યકરોને કામગીરી સોંપાઇ હતી. ત્યારે આ અંગે આરટીઆઇકર્તાએ આક્ષેપ કર્યો છે કે આશરે ૧૩૦ રૂપિયાની ૧ કીટ લેખે ૨૦૦૦૦૦ કીટો તૈયાર કરવામાં આવી હતી. જે અંગે આરટીઆઇ કરાઇ જેમાં આ કીટને લઇ કોઇ વિગત યુ સી ડી પાસે નથી તેવો જવાબ આપવામા આવ્યો છે.
શા માટે આંકડા આપવામા આવતા નથી?
આ અંગે યુસીડીના ડાયરેક્ટરે જણાવ્યુ હતુ કે કીટ યુસી઼ડી દ્વારા તૈયાર કરવામા આવી હતી પરંતુ હેલ્થ ખાતાએ તેમને પેક કરવા આપી હતી અમે પેક કરી હતી.ક્યાથી ખરીદી-કોને વહેચી તે માહીતી હેલ્થ ખાતા પાસે હોય આ અંગે હેલ્થ ખાતાનુ કહેવુ છે કે સાબુની ખરીદી ટેક્ષ ખાતાએ કરી હતી, તો માસ્ક યુસીડી દ્વારા તૈયાર કરવામા આવ્યા હતા. દવાઓ આયુષ તરફથી આપવામા આવી હતી. કીટની વહેંચણી દરેક વોર્ડમા અલગ અલગ કરવામા આવી છે. ક્યાં કેટલી કીટ વહેચવામા આવી છે તે ડેટા હેલ્થ ખાતા પાસે ઉપલબ્ધ છે. આ ડેટા આરટીઆઇ એક્ટીવીસ્ટ દ્વારા આરટીઆઇ કરવાથી મળી શકશે. ત્યારે આ ડેટા જીએસટીવી દ્વારા ડેટા માગવામા આવ્યા તો ડેટા આપવામા આવ્યા ન હતા. અહી પ્રશ્ન એ થાય કે શા માટે આંકડા આપવામા આવતા નથી? શુ કીટ વિતરણ બરાબર થયુ છે કે તેમા ભ્રષ્ટાચાર કરાયો છે? આ અંગે ઉંડાણપુર્વક તપાસ કરવામા આવે તો દુધનુ દુધ અને પાણીનું પાણી થાય તેમ છે.