રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. ઉલ્લેખનીય છે કે આ ઘાતક વાયરસનો કહેર અમદાવાદ શહેર પર પણ પડ્યો છે. ત્યારે AMC તંત્ર હરકતમાં આવ્યું છે.ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ભંગ બદલ ખાણી-પીણીના 4 યુનિટ સીલ કર્યા છે. મનપાની ટીમે સિંધુ ભવન રોડ પર આવેલા મેન્ગો, પોએટ્રી અને બર્મિઝ રેસ્ટોરન્ટ તેમજ વસ્ત્રાપુર તળાવ પાસેના ગજાનંદ પૌવા હાઉસને સીલ કર્યા છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા ૪ ખાણી પીણી ના યુનિટ social distancing ના અભાવના કારણે સીલ કરવામાં આવેલ છે.
- (૧) @Mango Restaurant, સિંધુ ભવન રોડ
- (૨) Poetry Restaurant, સિંધુભવન રોડ
- (૩) Birmies Restaurant, સિંધુભવન રોડ
- (૪) ગજાનંદ પૌવા હાઉસ, હિમાલયા આર્કેડ, વસ્ત્રાપુર તળાવ પાસે