અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે શહેર અને ગુજરાતભરના લોકો ચિંતિત છે તેમ છતાં ઘણા વિસ્તારમાં લોકો લોકડાઉનનો અમલ કરતા નથી ત્યારે નારણપુરાના વિજયનગરમા લોકડાઉનનો સેલ્ફ ડિસિપ્લિનથી કેવી રીતે પાલન થાય તેનો ઉત્તમ નમૂનો જોવા મળી રહ્યો છે. વિજયનગર અને તેની સાથે જોડાયેલા ત્રણ-ચાર કોલોની અને સોસાયટીના બાર એન્ટ્રી પોઈન્ટ ઉપર લોકો માટે “નો એન્ટ્રી” ના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. યુવાનોએ જાતેજ સમગ્ર વિસ્તારને સેલ્ફ ક્વોરેન્ટાઈન કરી દીધો છે. પાલિકાના કર્મચારીઓ અને સ્થાનિક યુવાનોએ સાથે મળી સમગ્ર વિસ્તારને સોશ્યલ ડિસ્ટન્સ રાખી સ્વચ્છ કરી દીધો છે. વિજયનગર યુથ ફોરમની ટીમે વિજયનગરમાં માત્ર પાંચ શાકભાજી અને પાંચ ફ્રુટની લારી વાળા ને જ પ્રવેશ આપવાનું નક્કી કર્યું છે. આ તમામે શાકભાજી અને ફ્રુટ લઈને વિજયનગરમાં પ્રવેશ કરતા પહેલા વિજયનગર સ્કૂલ દ્વારા તમામ શાકભાજી અને ફ્રુટ પાણીથી ધોવાના લારી ધોવાની અને લારીવાળા એ પણ હાથપગ ધોયા બાદ માસ્ક અને ગ્લવ્ઝ પહેરીને જ
વિજયનગરમાં પ્રવેશ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. વિજયનગર અને સંલગ્ન સોસાયટી તથા કોલોનીમાં પ્રવેશવાના બાર એન્ટ્રી પોઇન્ટ પર યુવાનોને ડ્યૂટિ સોંપી દેવામાં આવી છે દરેક પોઇન્ટ પર યુવકો ને ત્રણ ત્રણ કલાકની ડ્યુટી સોંપવામાં આવી છે.આ સમયમાં તેમણે ધ્યાન રાખવાનું કે બહારની કોઈ વ્યક્તિ વિજયનગરમાં પ્રવેશશે નહીં અને વિજયનગરની કોઈ વ્યક્તિ વિના કારણે બહાર લટાર મારવા નીકળે નહીં.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.