રાજ્યમાં મહિલાઓ હવે સુરક્ષિત નથી. વારે તહેવારે રાજ્યમાં બનતા ગુનાઓમાં સૌથી વધુ ક્રાઈમ મહિલાઓ પર થાય છે. મહિલાઓનું આજે પણ આપણા સમાજમાં શારીરિક અને માનસિક રીતે હેરાન થતી હોય તેવી અનેક ઘટનાઓ બનતી જાય છે. ત્યારે અમદાવાદમાંથી સસરા અને પુત્રવધૂના સંબંધના લીરેલીરા ઉડાડતો કિસ્સો હાલ સામે આવ્યો છે.
પોલીસ ફરિયાદમાંથી મળતી માહિતી પ્રમાણે, 28 વર્ષીય મહિલાનાં 2018 ઓગસ્ટમાં લગ્ન થયા હતાં. જેના થોડા દિવસ બાદ જ સાસરિયાઓએ પરિણીતાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આ મહિલાનાં પરિવારમાં સાસુ, સસરા, નણંદ અને દિયરનો સમાવેશ થાય છે. પરિણીતાને સંતાન ન હોવાથી પતિ પણ તેને માનસિક અને શારારિક ત્રાસ આપતો હતો.
પતિએ ધમકી આપીને મહિલાને જણાવ્યું હતું કે, મારા માબાપ જેમ કહે તેમ જ તારે કરવાનું છે. તારી ઉપર વિધી કરવાનું કહે તો પણ કરવા દેવાની. સંતાન સુખ માટે સસરાએ વિધી કરવાનું શરૂ કરી દીધું હતું. સસરાએ પુત્રવધૂને બેડરૂમમાં લઇ જતો અને પુત્રવધૂનાં શરીર ઉપર ચંદન, ઘી અને કાળા તલથી મસાજ કરતો હતો. આ સમયે એકાંતમાં છેડતી પણ કરતો હતો.
જ્યારે મહિલાને સસરાની કાળી કરતૂતો વિશે ખબર પડી ત્યારે તેનો વિરોધ કર્યો ત્યારે પરિવારે કહ્યું કે, આને સંતાન નથી થતું તો એને ઘરેથી કાઢી મુકો અને છૂટાછેડા આપી દો. ત્યારબાદ ઘરના તમામ લોકોએ પરિણીતાને પહેરેલા કપડે પણ કાઢી મુકી હતી. જે બાદ મહિલાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.