અમદાવાદના નારણપુરા વિસ્તારમાં શાસ્ત્રીનગરને અડીને આવેલા વરદાન ટાવરમાં આવેલી કરિયાણાની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગ એટલી ભયાવહ હતી કે જોતજોતામાં ચોમેર ફેલાઈ ગઈ હતી. આ અંગે તુરંત જ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. પણ તે આવતા સુધીમાં 1નું મોત થઈ ગયું હતું. ત્રણ ઘાયલ વ્યક્તિએ બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન ત્રણેયનું પણ ગંભીર રીતે દાઝી થવાથી એક પછી એક મોત થઈ જતાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. કુલ મૃત્યુઆંક 4 પર પહોંચ્યો હતો.
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા વરદાન ટાવરમાં મંગળવારે વહેલી સવારે કરિયાણાની દુકાનમાં લાગેલી આગમાં 1નું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે 3 ગંભીર રીતે દાઝ્યા હોવાથી તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં જ્યાં સારવાર દરમિયાન ત્રણેયનું મોત થઈ જતાં કુલ મૃત્યુઆંક 4 પર પહોંચ્યો હતો. આ સમાચારની જાણ થતાં જ ફાયરબ્રિગ્રેડની 6 ગાડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી છે. આગને કાબૂમાં લેવા પ્રયત્ન હાલ કરવામાં આવી રહ્યાં છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.