કર્ણાવતી ક્લબથી એરપોર્ટ વચ્ચે દોડતી એરપોર્ટ શટલ બસમાં આજે કર્ણાવતી ક્લબ પાસે અચાનક જ આગ ભડકી ઉઠી હતી. બસમાં આગ લાગી ત્યારે કોઈ તેમાં સવાર ન હોવાથી સદ્દનસીબે કોઈ જાનહાની નહોતી થઈ. પ્રાપ્ત વિગતો અનુસાર, એરપોર્ટથી આવેલી બસ કર્ણાવતી ક્લબ સ્ટેશને ઉભી હતી ત્યારે તેમાં આગ લાગી હતી.
બસમાં અચાનક આગ કેમ લાગી તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું. જોકે, પ્રાથમિક અંદાજ અનુસાર, ઓવર હિટિંગ અથવા તો શોટ સરકિટને કારણે આગ લાગી હોઈ શકે છે. બસમાં અચાનક જ એટલી તીવ્રતાથી આગ ભડકી ઉઠી હતી કે ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા જ સમગ્ર બસ ભડભડ સળગવા લાગી હતી.
બસમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા મોટી સંખ્યામાં લોકો જમા થઈ ગયા હતા. એસી બસમાં આમ તો આગ લાગે ત્યારે તેને બુઝાવવાની સુવિધા પણ છે, પરંતુ ફાયર સેફ્ટીનો ઉપયોગ કરાય તે પહેલા સમગ્ર બસમાં આગ ફેલાઈ ગઈ હતી. એરપોર્ટ શટલ સર્વિસનું સંચાલન એએમટીએસ દ્વારા કરવામાં આવે છે. દર અડધો કલાકે શહેરીજનોને એરપોર્ટ જવા બસ મળી રહે તે માટે આ બસને શરુ કરવામાં આવી છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.