કોરોનાના નિયમોનો ભંગ કરવામા સૌથી આગળ રહેતા ભાજપના કાર્યકરો ફરી એકવખત ચર્ચામાં આવ્યા છે. આ વખતે વાત અમદાવાદના ઇસનપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખની છે. આતિશ પટેલ જેઓ હજુ પંદર દિવસ પહેલાં જ હોસ્પિટલમાંથી કોરોનાથી મુક્ત થઈને ઘરે આવ્યા છે.તેઓની હજુ કોરોનામાંથી માંડ કળ વળી છે ત્યાં જ તેઓએ પોતાના જન્મદિવસની ઉજવણી જાહેરમાં કરીને ભીડ ભેગી કરી. જાહેરમાં યોજાયેલી બર્થડે પાર્ટીનું આયોજન ઇસનપુર બોર્ડના મહામંત્રી જીતુ સોલંકીએ કર્યું હતું. આ ઉપરાંત વોર્ડના કોર્પોરેટર ગૌતમ પટેલ, જીગીશા ઘડિયાળી અને રંજન મસિયા સહિત લાંભા વોર્ડ પ્રમુખ માનસિંગ પણ હાજર રહ્યા હતા. આ દ્રશ્યો જોઇને ચોક્કસપણે કહી શકાય કે ભાજપના નેતાઓથી માંડીને કાર્યકર્તાઓ કોઇને પણ કોરોના નથી નડતો.તેઓ વારંવાર ગાઈડલાઈનનો ભંગ કરે છે. આમ છતા સામાન્ય લોકોનું દંડતુ તંત્ર આવી બર્થડે પાર્ટી અટકાવી શકતુ નથી.
નોંધનિય છે કે થોડા દિવસ પહેલા જ હાઈકોર્ટને ટકોર કરી હતી પરંતુ જાણે નેતાઓને કોઈ નિયમ લાગુ પડતો ન હોય તેમ વર્તન કરી રહ્યા છે. જો કે હાઈકોર્ટની ટકોર બાદ સીએમ રૂપાણી પણ આ મામલે નેતાઓને સલાહ આપી હીતી. પરંતુ તેની પણ તેમના નેતાઓ પર કોઈ અસર થઈ નથી તેમ સ્પષ્ટ લાગી રહ્યું છે.થોડા દિવસ પહેલા સીઆર પાટલની રેલીમાં પણ આ જ પ્રકારે નિયમોને નેવે મુકવામાં આવ્યા હતા. આ ઉપરાંત ડિસા નજીક એક કાર્યક્રમમાં ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ પણ કોરોના ગાઈડ લાઈનું સરેઆમ ઉલ્લંઘન કર્યું હતું. જેને લઈને નીતિન પટેલે પણ આ ઘટનાને વખોડી હતી. ભાજપના નેતાઓની આ બેદરકારી જોઈ જાણે લાગે છે કે તેઓ ડોક્ટરોની મહેનત પર પાણી ફેરવી રહ્યા છે. તો બીજ તરફ જાહેરમાં થઈ રહેલા આવા સેલિબ્રેશનને પોલીસે ેમ રોક્યું તેવા પણ સવાલો લોકો કરી રહ્યા છે. સામાન્ય લોકો પાસેથી મોટા દંડ વસુલતું તંત્ર નેતાઓ સામે કેમ નતમસ્તક થઈ જાય છે.