અમદાવાદની ઇન્ડિયન મેડિકલ ઓસોસિએશનની ગુજરાત બ્રાંચ દ્રારા આવતીકાલે ‘બ્લેક ડે’ મનાવવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્રારા એમસીઆઇને વિખેરી તેના સ્થાને એનએમસી અમલી બનાવવા જે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તેના વિરોધમાં સમગ્ર ભારતભરમાં આવતી કાલે ‘બ્લેક ડે’ મનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આઇએમએ ગુજરાત સ્ટેટ બ્રાન્ચના પ્રમુખ ડો. ભુપેન્દ્ર શાહે આ અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ. કે કેન્દ્ર સરકાર દ્રારા અમલી બનનારા એનએમસી બીલના વિરોધમાં ‘બ્લેક ડે’ મનાવવાની જાહેરાત કરવામાં આવી છે. સમગ્ર ગુજરાત રાજ્યના 25,000થી વધારે ડોકટર્સ જોડાશે. જેમાં ઇમરજન્સી સેવાઓ અને ક્રિટિકલ કેર સર્વિસીસ બાદ રહેશે. વધુ માં જણાવ્યુ હતુ કે આ અમલથી સામાન્ય જનતાને કોઇ ફાયદો નથી. તેમજ તેમાં ખૂબ જ ગૂંચવણો છે. આ બીલ ગરીબ વિરાધ અને લોકશાહી વિરોધી હોવાથી અમે તેનો વિરોધ કરીએ છીએ. સરકાર અમારી માંગણીઓ પૂરી નહિ કરે તો આગામી દિવસોમાં ઇન્ડિયન મેડિકલ એસોસીએશન દ્રારા વધુ કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.