પાટણ પ્રકરણમાં આત્મવિલોપન કરનાર ભાનુભાઇ વણકરના મૃત્યુ બાદ શનિવારે દિવસભર સ્થિતિ તંગ રહી હતી, જે બાદ રવિવારે દલિત સંગઠનો દ્વારા શહેર બંધના એલાનની જાહેરાત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે દલિત યુવાનો સારંગપુર ખાતે એકઠા થઇ બંધ કરાવવા એકઠા થયા હતા. આ સમયે પોલીસે દલિત યુવાનો અને સરસપુરથી સારંગપુર આવી રહેલા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની અટકાયત કરી હતી. આ તમામ લોકો મંત્રી કૌશિક પટેલના કાર્યાલયે વિરોધ કરવા જવાના હતા.સમગ્ર ઘટનાની તપાસ પંચ અથવા એસઆઇટી જે પરિવારજનો નિર્ણય કરશે તેની રચના કરવામાં આવશે. દુદખાની જે જમીન 1955માં તે વખતની સરકારે ખાલસા કરી હતી તેનો કબજો તો અરજદાર પાસે છે. તેના 7-12માં તેમના પરિવારજનોના નામ દાખલ કરવા ખાસ કિસ્સામાં કાર્યવાહી કરાશે. ભાનુભાઇના પરિવારજનો સરકારી કર્મચારી છે, તેમની માગણી પ્રમાણે ખાસ કિસ્સામાં બદલી કરવામાં આવશે. એટ્રોસિટી એક્ટ મુજબ ભાનુભાઇના પરિવારજનોને મળવાપાત્ર કુલ 8 લાખ પૈકી નિયમ પ્રમાણેના પ્રથમ તબક્કાના 4 લાખ રૂપિયાની સહાય સત્વરે ચૂકવવામાં આવશે. મુખ્યમંત્રીએ અગાઉ કરેલી જાહેરાત મુજબ તેમની સારવારનો તમામ ખર્ચ સીધો એપોલો હોસ્પિટલને ચૂકવી દેવાશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.