ગુજરાત સરકારે અતિવૃષ્ટીના કારણે ખેડૂતોને થયેલા નુકશાન અંગે સર્વે શરૂ કરાવ્યો છે. ઉલ્લેખનીય છે કે પંદર દિવસમાં સર્વે કરી જિલ્લામાંથી સરકારને રીપોર્ટ સોંપવામાં આવશે. જો કે સરકારે ખેડૂતોને થયેલા નુકશાન અંગે સર્વે કરાવવાની જાહેરાતનો કોંગ્રેસ વિરોધ કર્યો છે.ખેડૂત આગેવાનોના વિરોધ બાદ અમદાવાદ જિલ્લા કોંગ્રસ પ્રમુખે પણ સરકારે સર્વે કરવાની જાહેરાતને નાટક ગણાવ્યુ છે.
અમદાવાદ જિલ્લા કોંગ્રસ પ્રમુખે પણ સરકારે સર્વે કરવાની જાહેરાતને નાટક ગણાવ્યુ
અમદાવાદ જિલ્લામાં ખેડૂતોને ભારે વરસાદના કારણે મોટા પ્રમાણમાં નુકશાન થયુ છે. અમદાવાદ જિલ્લાના સિત્તેર ટકા ગામોમાં ખેડૂતોનો તલ,જુવાર,કપાસ સહિતનો પાક અતિ વરસાદના કારણે નિષ્ફળ ગયો છે.તેવો દાવો કરતા જિલ્લા કોગ્રેસ પ્રમુખે ભાજપ સરકારને ઉદ્યોગપતિઓની સરકાર તરીકે ઓળખાવી હતી અને બાવીસ વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકારે ખેડૂતો માટે કશુ વિચાર્યુ જ નથી તેવો આક્ષેપ પણ કર્યો હતો.
ગુજરાતમાં ભાજપ સરકારે ખેડૂતો માટે કશુ વિચાર્યુ જ નથી તેવો આક્ષેપ પણ કર્યો
અમદાવાદ જિલ્લામાં ગત વર્ષે ખેડૂતોને થયેલા નુકશાન માટે પાક વીમો મળ્યો નથી તેવો આક્ષેપ કરતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ખેડૂતોનો રોષ શાંત પાડવા સરકારે સર્વેનુ નાટક હાથ ધર્યુ છે તેવો આક્ષેપ કર્યો હતો.