અમદાવાદના પ્રથમ નાગરિક ગણાતા મહિલા મેયર બિજલબેન પટેલ કોરોના વાયરસને કારણે જરૂરિયાત મંદ લોકોની સહાય માટે કોઈ જગ્યાએ બહાર નીકળતા નથી. બીજી બાજુ ભાજપના કેટલાક કોર્પોરેટર તથા પૂર્વ કોર્પોરેટરો અને ભાજપ તથા કોંગ્રેસના ધારાસભ્યો આખો દિવસ અસરગ્રસ્ત વિસ્તારોમાં ફરતા હોય છે એટલું જ નહીં અનાજ કરિયાણા અને શાકભાજી તેમજ રાંધેલા અનાજની કીટનું વિતરણ પણ કરતાં હોય છે પરંતુ જેમની ફરજમાં આવે છે એવા મેયર બિજલબેન પટેલ હાલમાં ક્યાં છે ? કેમ તેઓ કોઈ ની મદદ માટે આગડ આવતા નથી ? શું તે કોરોના વાઇરસ થી એટલા ભયભીત થયા છે કે પ્રજાજનો ના દુખ પણ જોવા રાજી નથી ? માત્ર ગાંધીનગર મુખ્યમંત્રીના રાહત ફંડમાં ચેક આપ્યો હતો તો શું એવું સમજી બેઠા છે કે તેમની જવાબદારી પતી ગઈ ? શું ખાલી ચેક આપતા ફોટા પાડવા માટે જ મેયર ની પદવી લીધી છે ? આ બધા સવાલો જનતાના મનમાં ઉઠી રહ્યા છે. અમદાવાદના અને ખાસ કરીને પૂર્વના કોટ વિસ્તારના નાગરિકો અત્યારે ખૂબ જ કફોડી હાલતમાં છે. કોરોના વાયરસ ને કારણે લોકડાઉનની સ્થિતિમાં સૌ કોઈના નોકરી ધંધા અને રોજગાર પણ બંધ હાલતમાં છે. આવી સ્થિતિમાં કેટલાય લોકો સ્વેચ્છાએ અને સંખ્યાબંધ સેવાભાવી સંસ્થાઓ આગળ આવીને લોકોની મદદ કરી રહી છે પરંતુ જેમની ફરજ છે તેવા ભાજપના કોર્પોરેટર અને મેયર બિજલબેન પટેલ અત્યારે કોઈની મદદ માટે બહાર નીકળતા અને મેયર બિજલબેન પટેલ ના કારણે ભાજપના ટોચના નેતાઓ પણ મેયરના આવા વર્તનથી શરમ અનુભવી રહ્યા છે.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.