અા વખતે કાંકરીયા કાર્નિવલનાં ૧૦માં વર્ષની ઉજવણી હેરિટેજ થીમ આધારિત કરવામાં આવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહી કાર્યકરોનો ઉત્સાહ વધારે તેવી શક્યતા છે. મેયર ગૌતમ શાહે કાંકરીયા કાર્નિવલની વિગતો આપતાં કહયું કે, દર વર્ષની જેમ આ વર્ષે યોજાનારા કાર્નિવલની વિશેષતા એ છે કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૦૦૮માં શરૂ કરાવેલાં કાર્નિવલનાં નવ વર્ષ પૂરા થયા છે અને દસમા વર્ષમાં પ્રવેશ થતો હોવાથી તેમજ અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેનુ બિરૂદ પ્રાપ્ત થયુ છે તેથી કાર્નિવલની અલગ ઉજવણી કરવાનો નિર્ણય લેવાયો છે.
માણેકચોકમાં ૨૮-૨૯ તારીખે પોળ પોળ અમદાવાદની ઓળખ પોળ વિષયને લઇ નાટક ભજવવામાં આવશે. હેરિટેજ થીમ ઉપર ઉજવણીની સાથે લેકચર સીરીઝ ઓન હેરિટેજનુ આયોજન કરવામાં આવ્યુ છે.કાંકરીયા કાર્નિવલમાં ઉમટતાં લાખો નાગરિકોની સુરક્ષા માટે પગલા લેવાઇ રહયાં છે અને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પણ લેવામાં આવશે. સહેલાણીઓ માટે 1દ કરોડનો વીમો લેવામાં અાવ્યો છે અને તે માટેનું વન ટાઈમ પ્રીમિયમ રૂ.25 લાખ છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.