કોર્પોરેશનના અધિકારીઓની મીલીભગત થી આમ જનતાની ખુલ્લેઆમ છેતરપિંડી ન તો જમીન એન.એ. કરાવી ન તો પ્લાન પાસ કરાવ્યા ના તો રેરાની કોઈ એપ્રુવલ લીધી
એમ છતાં વિશાળ સર્કલની પાછળના વિસ્તારથી લઈને ફતેબાગ ની હેરિટેજ ઇમારત પાસે આવેલી સાબરમતી નદી સુધી બની ગયા છે ગેરકાયદે બાંધકામ બિલાડીના ટોપની માફક બાંધી દેવામાં આવી છે રેસિડેન્શિયલ સોસાયટીઓ રૂ. 300ના સ્ટેમ્પ પેપર ઉપર કરાવાય છે મકાનનો વેચાણ કરાર શું પોલીસ અને પ્રશાશનની રહેમ નઝર હેઠળ ચાલી રહ્યો છે લોકોને ચૂનો લગાવવાનો આ ગોરખધંધો?
હજુ થોડા સમય પહેલાજ ડીસીપી પ્રેમસુખ ડેલું એ જુહાપુરામાં ગેરકાયદે બાંધકામ તોડીને બોલાવ્યો હતો સપાટો તો શું આટલી મોટી સંખ્યામાં થઇ ચૂકેલા ગેરકાયદે બાંધકામ ડીસીપી સાહેબને દેખાતા નથી?
સત્ય ડે ન્યુઝ કરી રહ્યું છે ગેરકાયદે બાંધકામ દ્વારા ગરીબ જનતાને લૂંટવાના ષડયંત્રનો પર્દાફાશ આ છે ગેરકાયદે બાંધકામ દ્વારા ઉભા કરાયેલા રહેણાંકોના નામ: જો જો છેતરાતા નહિ આ સ્કીમમાંથી મકાન લઈને.
1. અહેમદ નગર
2. મરહબ ડુપ્લેક્સ
3. અનીસા રો હાઉસ
4. અહેમદી રો હાઉસ
5. અક્રમ રેસીડેન્સી
6. ઈકરા ડુપ્લેક્સ
7. અસ્લમ પાર્ક
8. મિમનગર
ચોંકાવનારી વાત એ છે કે મિમનગર વિભાગ 3 માં તો લાઈટનું કનેક્શન પણ ચોરીનું છે, કોઈને ત્યાં મીટર પણ લાગેલા નથી ફતેવાડી કેનાલની પાછળ આવેલો ફુજેલ પાર્ક પણ ગેરકાયદે, પાર્કની અંદર આવેલા બંગલાઓ ની કિંમત કરોડો રૂપિયામાં અહેમદ નગરની પાછળની બાજુ એક વિશાળ હવેલી 4 હજાર વારની જગ્યામાં બનાવાઈ છે જે પણ ગેરકાયદે બાંધકામ છે. આ હવેલીનું નામ ”વ્હાઇટ હાઉસ” છે. અમદાવાદીઓને 2000ની સાલનું પૂર તેમજ 2005ની સાલનું પૂર યાદ હશે. જો ફરીથી આવું પૂર સાબરમતી નદીમાં આવે તો અમે જણાવેલી તમામ રહેણાંક સોસાયટીઓ જે ગેરકાયદે બનાવાઈ છે. એ તમામે તમામ ડૂબી જાય એમ છે. જો એમ થાય તો કોણ જવાબદાર રહેશે?
સત્ય ડે ન્યુઝ સત્તા પાસે માંગી રહ્યું છે જવાબ….આ ગોરખધંધાને છાવરવાનું ક્યારે બંધ કરાશે?